એક લોકભોગ્ય કહેવત છે કે દુકાળમાં અધિક માસ. આવુ જ કંઈક થયુ ગુજરાતના મુખ્યમંત્રીના વતન રાજકોટમા. જયાં જોવા મળ્યો પાણીનો વેડફાટ નહીં પણ મહાવેડફાટ. રાજકોટના ગૌરીદડ ગામે નર્મદા કેનાલમાં ભંગાણ પડ્યુ અને જોતજોતામાં લાખો લીટર પાણી વેડફાઈ ગયુ. શું છે આખો મામલો જોઈએ આ અહેવાલમા.
એક તરફ પાણીનુ મૂલ્ય લોકોને તો સરકાર સમજાવે છે. પરંતુ જ્યારે સરકાર પોતે જ ન સમજે ત્યારે વરવા દ્રશ્યો ઊભા થતાં હોય છે. ગુજરાતમાં પાણી-પાણીના પોકાર પડી રહ્યા છે. લોકો ટીપાં પાણી માટે વલખાં મારી રહ્યા છે.
જ્યારે બીજી બાજું પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે અને એ પણ ભર ઉનાળે. તીવ્ર જળતંગી સામે બેફામ પાણીનો વેડફાટ કરતાં આ દ્રશ્યો સર્જાયા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વતન રાજકોટના. રાજકોટ નજીક ગૌરીદડ ગામ પાસે નર્મદા કેનાલમાં ભંગાણ પડતાં લાખો લીટર પાણી વેડફાય છે.
લોકો કેવી રીતે પોતાના વાહનો પાણીમાંથી ખેંચી ખેંચીને બહાર લાવી રહ્યા છે. પાણીની આ રેલમછેલને લીધે લોકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલી પડી હતી. ભરઉનાળે. ભરપૂર ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગૌરીદળ પાસે નર્મદાની કેનાલમાં ભંગાણના મામલે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ અધિકારીઓ દોડતા થઇ ગયા અને કલાકો પછી અધિકારીઓ જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે પાળી પરથી પાણી તો વહી ગયું હતું. તેમ છતાં અધિકારીઓ બધું સારા વાના થશે તેવા દાવા કરતાં જોવા મળ્યાં. અને કેમ થયું તેના ખુલાસા કરવા લાગ્યાં.
તો પોતાના વતન રાજકોટમાં પાણીનો વેડફાટનો કકળાટ સાંભળી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હરકતમાં આવ્યાં.. અને કહ્યું કે જલદીથી લાઈન રિપેર થઈ જશે.
લાખો લિટર પાણી વેડફાઈ ગયા પછી સરકારે વેડફાતા પાણીને રોકવા ભગીરથ પ્રયત્ન આદરી દીધાં.. કહેવાય છે કે પાણી સંપૂર્ણ નીકળી ગયા બાદ જ પાઈપલાઈન રીપેર થશે. પંપિંગ મશીનો મૂકીને પાઇપલાઇનમાંથી પાણી ખેંચી ભરઉનાળે પૂરની પરિસ્થીતિ હળવી તો બનાવાઈ પણ આ વેડફાયેલું પાણી કોણ લાવી આપશે તેનો કોઈ પાસે જવાબ ન હતો.