અમદાવાદના બોપલમાં એક દુઃખદ ઘટના બની હતી. બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે આવેલી પાણીની ટાંકી ધરાશાયી થઇ હતી. જેના કારણે 3 લોકોના મોત થયા હતા. બીજા 9 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
અમદાવાદના બોપલમાં વર્ષો જુની જર્જરિત ટાંકી ઘરાશાયી થતા ત્રણ લોકોના મોત થયા હતા. તંત્રની અને કેટરસ સંચાલકની બેદરકારીના કારણે જેરામભાઈ, અજયભાઈ અને સુશીલભાઈ નામના ત્રણ લોકોના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે 6થી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમની સારવાર ચાલી રહી છે. ત્યારે આ ટાંકી ધરાશાયી થવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
CCTV ફૂટેજ આવ્યા સામે
બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થઇ હતી જેના સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે છે. ટાંકીની બાજુમાં કેટરિંગનો શેડ આવેલો હતો. કેટરિંગના શેડની નીચે કામદારો કામ કરી રહ્યા હતા. ટાંકી પડતાં 3 કામદારોના દબાઈ જતા મોત થયા હતા.
તંત્રે કોઇ નોટિસ નથી આપીઃ કેટરસ
કેટરસના સંચાલકે જણાવવું હતું કે, તેઓ ભાડા પર જમીન રાખી કેટરસ ચલાવતા હતા. તંત્ર દ્વારા તેમને કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી, જ્યારે પરિવાજનોએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. કારણ કે, જર્જરિત ટાંકી પડે તેવી સ્થિતિમાં હતી છતાં તંત્રએ કોઈ કામગીરી ન કરી. જેના કારણે આ ઘટના ઘટી છે.
સમારકામ કેમ ન કર્યુ?
સવાલો અહીં તંત્રની કામગીરી સામે ચોક્કસથી ઉઠે છે કારણ કે, જર્જરિત ટાંકી હતી તો પછી તંત્રએ તે ટાંકીનું કેમ સમારકામ ન કર્યું. જો સમારકામ થઈ શકે તેમ ન હતું તો ટાંકીને પાડવા માટે કેમ કોઈ કાર્યવાહી ન કરી.
લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, જર્જરિત ટાંકી વિશે અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી છતાં તંત્રએ ઉપેક્ષા જ દાખવી.
અંતે જાગ્યું તંત્ર
જોકે હવે બોપલમાં આવેલી અન્ય પાણીની ટાંકીઓનું પણ તંત્રના અધિકારીઓ નિરીક્ષણ કરશે. એન્જિનિયરોની ટીમ દ્વારા ઈન્સપેક્શન કરાશે. એન્જિનિયરોના રિપોર્ટ બાદ તમામ જર્જરિત ટાંકી તોડી પડાશે.