રાજ્યમાં હાલ ઉનાળો તેના અંતિમ પડાવ તરફ છે. પરંતુ પાણીની અછત હજુ યથાવત છે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં જળસ્રોત સુકાઈ ગયા છે. અનેક બોર અને હેન્ડપંપમાં એક ટીપુંય પાણી બચ્યું નથી. લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ કુદરતી રીતે જ ભૂગર્ભમાંથી વર્ષોથી પાણી વહી રહ્યું છે. નહી વીજળી, નહીં પંપ છતાં જમીનથી અઢી ફૂટ ઊંચે સુધી પહોંચીને પાણી વહી રહ્યું છે.
રાજ્યમાં ઉનાળો હવે અંતિમ પડાવ તરફ છે. હવે વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીથી રાહત જરૂર મળી છે પરંતુ પાણીની તંગી હજુ યથાવત છે. રાજ્યના અનેક વિસ્તારોમાં જળસ્રોત સૂકાઈ ગયા છે. લોકો પાણી ભરવા માટે કિલોમીટરોદૂર રઝળપાટ કરવા મજબૂર બન્યા છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામના લોકોને પાણીની સમસ્યાએ કઈ બલાનું નામ છે એની ખબર જ નથી. કેમ કે આ ગામના લોકો માટે કુદરતે પાણીના અખૂટ ભંડારનો જથો અનામત રાખ્યો છે. તો ચાલો જોઈએ કુકરદા ગામ પર કેવી રીતે છે કુદરત મહેરબાન તે અમારા આ અહેવાલમાં.
રાજ્યમાં હાલ ઉનાળો તેના અંતિમ પડાવ તરફ છે. પરંતુ પાણીની અછત હજુ યથાવત છે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં જળસ્રોત સુકાઈ ગયા છે. અનેક બોર અને હેન્ડપંપમાં એક ટીપુંય પાણી બચ્યું નથી. લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ કુદરતી રીતે જ ભૂગર્ભમાંથી વર્ષોથી પાણી વહી રહ્યું છે. નહી વીજળી, નહીં પંપ છતાં જમીનથી અઢી ફૂટ ઊંચે સુધી પહોંચીને પાણી વહી રહ્યું છે.
આ પાતાળિયા બોરવેલમાંથી આપમેળે અવિરત વહેતું જળ જુઓ. રાજ્યમાં જ્યાં 90 ટકા બોરવેલ ખાલી થઈ ગયા છે ત્યાં અહીં કુકરદા ગામમાં છેલ્લાં 17 વર્ષથી પાતાળમાંથી એકધારું પાણી વહી રહ્યું છે. એ જોઈને તમને પહેલા તો એવું લાગશે કે આટલો બધો જળનો વેડફાટ? પરંતુ વાત જુદી છે.. કેમ કે આ પાતાળિયા બોરવેલ માથી સ્વયંભૂ રીતે વહેતું પાણી અટકાવી શકવાનું મનુષ્યનાં હાથની વાત નથી. ગ્રામજનો પીવાનાં તેમજ ઘર વપરાશ માટે આ પાણીનો જ વપરાશ કરે છે.
તમને થશે કે પાણી આમ જ વહી જાય છે તો પછી કોઈ તેને રોકતું કેમ નથી? પરંતુ ગ્રામજનોએ તે માટે પણ ભૂતકાળમાં પ્રયાસ કરી જોયો હતો. પાણીના આ વહેતા અવિરત પ્રવાહને રોકવા અઢી ફૂટ ઊંચા પ્લાસ્ટિકના પાઈપ પર ઢાંકણરૂપે કેપ લગાવવાનો પ્રયાસ કરાઈ ચૂક્યો છે. પરંતુ તેના કારણે પાણીનું પ્રબળ દબાણ સર્જાય છે અને પ્લાસ્ટિકની કેપ 10 ફૂટ ઊંછી હવામા ઊછળી જાય છે. તે પછી ગામલોકોએ આ વહેતા પાણીને રોકવા કોઈ પ્રયાસ કર્યો જ નથી. ગુરૂત્વાકર્ષણથી વિરુદ્ધ બળ વાપરી પાણી પૃથ્વીની સપાટ પર કેવી રીતે આવી શકે? તેવો પ્રશ્ન સહજ રીતે સૌ કોઇના મનમાં થાય તે સ્વાભાવિક છે. ગ્રામજનો તો આ રીતે સતત નીકળી રહેલા પાણીને કુદરતના આશીર્વાદ અને કુદરતનો ચમત્કાર જ ગણી રહ્યાં છે.
આ ગામ સિવાયનાં નસવાડી તાલુકાના અન્ય ગામોમાં પીવાના પાણીની સૌથી વધુ તંગી છે. ડુંગરાઓ વચ્ચે આવેલા કુકરદાના બીજા વિસ્તારોમાં હેન્ડપમ્પ, બોરમાં પાણી ખુટી પડેલા છે. તો આજુબાજુના ગામો પણ પાણી માટે વલખાં મારી રહ્યા છે. જળસ્ત્રાોતનાં અભાવે તરસ્યા રહેતા સમગ્ર વિસ્તાર વચ્ચે એક માત્ર આ સ્થળે આ બોર સતત પાણી વહાવી રહ્યો છે.
ગામની વસતિ ઓછી છે તેથી વપરાશ પણ ઓછો છે. ગ્રામજનો પાણીનો જેટલો વપરાશ કરે છે તે કરતાં અનેક ગણો જથ્થો જમીન પર જ વહી જાય છે. એક મીનિટમાં 20 લિટર પાણી જમીનમાંથી આપમેળે બહાર વહી રહ્યું છે. અંદાજ પ્રમાણે વર્ષે એક કરોડ લીટર જેટલું પાણી આ કુદરતી સોર્સમાંથી આપ મેળે બહાર આવીને વહી રહ્યું છે. ત્યારે આ પાણીને કોતરોમાં વહેતુ રાખવાના બદલે બીજા બોરવેલમાં રિચાર્જ કરવાના વિકલ્પો વિચારાય તો આસપાસના વિસ્તારની જળસમસ્યા હળવી બની શકે છે એક મીનિટમાં 20 લિટર પાણી જમીનમાંથી આપમેળે બહાર વહી રહ્યું છે અંદાજ પ્રમાણે વર્ષે એક કરોડ લીટર જેટલું પાણી બહાર આવીને વહી રહ્યું છે.