રાજકોટમાં જો ઓગસ્ટ મહિના સુધીમાં યોગ્ય પ્રમાણમાં વરસાદ નહી પડે તો પાણીની અછત સર્જાઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને રાજકોટ મેયર દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને પાણીની માગ કરવામાં આવી છે.
રાજકોટ પાણીની અછત સર્જાવાની શક્યતા
મેયરે મુખ્યમંત્રી રૂપાણીને લખ્યો પત્ર
પત્ર લખીને કરી પાણીની માગ
રાજકોટમાં પહેલેથી જ પાણીની સમસ્યાઓ સર્જાતી રહી છે ત્યારે આ વખતે રાજકોટમાં ચોમાસું ખેંચાતા જળસંકટ ઉભુ થવાના ભણકારા વાગી રહ્યા છે.ત્યારે તેને લઈને રાજકોટના મેયર સક્રિય થઈ ગયા છે. અને તેમણે પરિસ્થિતીને અનુલક્ષીને પહેલાથી તૈયારૂીઓ કરી લીધી છે. કારણકે આ વખતે પણ રાજકોટમાં પાણીની સમસ્યા સર્જાય તેવી શક્યતા છે.
સૌની યોજના થકી કરી પાણીની માગ
રાજકોટના મેયર પ્રદિપ ડવે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી સૌની યોજના થકી પાણીની માગ કરી છે. તેમણે આજી અને ન્યારી ડેમમાં પાણી ઠાલવવા માગ કરી છે. ડેમમાં પાણી ઠાલવવાની પાછળની માગનું કારણ એ છે કે , જો આ વખતે વરસાદ ખેંચાયો તો 20 મિનિટ પાણી વિતરણની સ્થિતિ ઉભી થઈ શકે છે.
મુખ્યમંત્રીને લખ્યો પત્ર
હાલની આજી ડેમની સપાટી 225 MCFT, ન્યારી ડેમની સપાટી 329 MCFT તથા ભાદર 1 ડેમમાં સપાટી 1,390 MCFT છે.તથા ભાદર 1 ડેમમાંથી રાજકોટ શહેરને દૈનિક 415 MLD પાણી આપવામાં આવે છે.જો સૌની યોજનાનું પાણી મળે તો રાજકોટનું જળસંકટ ઓછુ થાય તેમ છે.જેના કારણે મેયર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને પાણીની માગ કરવામાં આવી છે.
વરસાદ નહી પડે તો પાણીની અછત સર્જાશે
ઉલ્લેખનીય છે કે જો થોડાક સમયમાં પૂરતા પ્રમાણમાં વરસાદ નહી પડ્યો તો રાજકોટમાં પાણીની અછત સર્જાઈ શકે છે. આજ કારણોસર આજી-1 ડેમમાં પાણીના જથ્થાની માગ કરવામાં આવી છે. 4 માસ પહેલા સૌની યોજનાથી આજી-1 ડેમ ભરેલો હતો. પરંતુ હાલ તે 75% ખાલી છે. જેને અનુલક્ષીને મેયર દ્વારા સરકારને પત્ર લખવામાં આવ્યો છે.