કચ્છમાં દિવસને દિવસે પાણીની સમસ્યા વિકટ બની રહી છે. એક તરફ સરકાર નર્મદા કેનાલ મારફતે પાણી આપવાના દાવા કરી રહ્યું છે. પરંતુ રાપરનુ રામવાવ ગામ નર્મદા કેનાલની બિલકુલ નજીક હોવા છતાં તરસે મરે છે. ગ્રામજનોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે.
તંત્ર ભલે કચ્છ સુધી નર્મદા કેનાલ પહોંચી ગઈ છે તેવા દાવા કરતું હોય પણ લોકોની પાણી પહોંચાડી શકી નથી. આવી જ વ્યથા છે કચ્છના રામર તાલુકના રામવાવ ગામની. લોકોને પાણી ભરવા માટે દૂર દૂર જવું પડે છે.
પાણી પુરવઠા સહિત તંત્ર પાસે આ અંગે ગામલોકોએ અનેક રજુઆતો કરી પરંતુ તંત્રએ કાયમી કે વૈકલ્પીક વ્યવસ્થા માટે કોઇ કાર્યવાહી કરી નથી. 700થી વધુ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં વર્ષોથી પાણીની સમસ્યા છે.
પરંતુ હાલ જ્યારે ઉનાળો છે ત્યારે સમસ્યા વિકટ બની છે. ગામમાંથી નર્મદાની કેનાલ પસાર થાય છે. પરંતુ વૈક્લપીક વ્યવસ્થા તંત્રએ ન કરતાં પાણી મેળવવા માટે લોકોને જવું પડે છે. રામવાવની પાણી સમસ્યા માટે અનેક રજૂઆત કરવા છતાં લોકો હજુ તરસ્યા જ છે. ત્યારે સરકાર આ માટે કંઈક કરે છે કે નહીં તે જોવું રહ્યું.