જામનગર શહેર તથા જિલ્લા પર જળ સમસ્યા વિકરાળ બની છે.જામનગર જિલ્લામા છેલ્લા ત્રણ વર્ષથી અનિયમિત વરસાદના કારણે દુષ્કાળ જનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે.આ ઉનાળાના ધમ ધમતા તાપમાં જામનગર જિલ્લાના તમામ ડેમો ના તળિયા દેખાઈ ગયા છે.જામનગરમાં પાણીની તંગી વર્તાઈ રહી છે અને ટેન્કર રાજ શરૂ થઇ ગયા છે.ત્યારે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહયા છે કે આ પરિસ્થિતિ એ મનપાના આગોતરા આયોજનના આભાવના કારણે સર્જાઈ છે.