ભુજનો રુદ્રમાતા ડેમ ઓછા વરસાદના કારણે ખાલીખમ પશુઓને પીવાના પાણીના ફાંફા પડતાં અત્યારથી જ માલધારીઓ કરી રહ્યા છે હિજરત
કચ્છમાં પાણીનો કકળાટ
ભુજનો રુદ્રમાતા ડેમ તળિયા ઝાટક
સૌથી યોજનાના નીર પહોંચે તેવી માગ
કચ્છના લોકોની તમામ ખુશીઓ વરસાદ સાથે જોડાયેલી છે.કચ્છની સંસ્કૃતિ, ઈતિહાસ, લોકભાષા, લોક સાહિત્ય અને સ્થાપત્યોમાં દુષ્કાળની દુ:ખદ વેદના અને વરસાદની અપાર ખૂશીના દર્શન અચૂક થાય છે.મૂંગા પશુઓ પણ તેના પર નિર્ભર છે. ત્યારે હાલના સમયમાં કચ્છમાં પાણીની સ્થિતિ કેવી છે.
પીવા માટે પણ નથી પુરતું પાણી
ઐતિહાસિક, ભૌગોલિક, સાંસ્કૃતિક અને સામાજિક વિશિષ્ટતાઓની ખાણોથી ભરેલો અઢી અક્ષરનો પ્રદેશ કચ્છ.આજે ઓછા વરસાદના કારણે પાણી માટે તરસી રહ્યો છે.ત્યારે વીટીવી ન્યૂઝ ભુજમાં આવેલા રુદ્રમાતા ડેમમાં પાણીના રિયાલિટી ચેક માટે પહોંચ્યું હતું.અહીં પહોંચતા જ દ્રશ્યો ડરામણા હતા.કારણ કે, ડેમમાં પાણી તળિયે હતું.અને તે પણ માત્ર ગણ્યા-ગાઠ્યા દિવસો સુધી જ ચાલે તેમ હતું.જ્યારે ડેમના દરવાજા તો કોરાધાક પડ્યા હતા.ખાસ વાત તો એ છે કે આજ ડેમમાંથી ભુજના બન્ની-પછમમાં તેમજ પાવરપટ્ટીના કેટલાક ગામડાઓને પાણી પુરુ પાડવામાં આવે છે.
પાણી ન મળતા માલધારીઓની હીજરત
કચ્છમાં પાણીની જ વાત કરી રહ્યા છીએ.ત્યારે આપને જણાવી દઈએ કે, સમગ્ર જિલ્લામાં 20 મધ્યમ સિંચાઈના ડેમ અને 170 નાની સિંચાઈના ડેમ આવેલા છે.અને હાલ તમામ ડેમો તળિયા ઝાટક છે.હાલની તારીખે પણ કચ્છમાં માનવી કરતા પશુઓની સંખ્યા વધું છે.તેવામાં લોકો અને પશુઓને પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે.જેના કારણે માલધારીઓ હાલ હિજરત કરી રહ્યા છે.કારણ કે, કચ્છમાં નર્મદાની કેનાલ તો પહોંચી.પરંતુ આજ સુધી નર્મદાના નીર નથી પહોંચ્યા.ત્યારે આશા રાખીએ કે, સરકાર કચ્છના સરહદી વિસ્તારો સુધી પણ પીવાનું પાણી પહોંચી રહે તેવી કોઈ યોજના વહેલી તકે લાવે.અને કચ્છના ડેમોને પણ સૌથી યોજનાથી છલોછલ છલકાવવામાં આવે