અમદાવાદમાં પાણી મામલે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા મળીને કૌભાંડ કરવામાં આવી રહ્યુ છે. જેનુ સ્ટિંગ ઓપરેશન વીટીવી દ્વારા કરવામાં આવ્યુ હતું. વીટીવી દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલ બાદ તંત્ર જાગ્યુ છે.
આ મામલે અમદાવાદના મેયર બિજલ પટેલે પ્રતિક્રિયા આપી છે કે, પાણીના કાળા કારોબાર કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. વીટીવીના માધ્યમથી આ ઘટનાની જાણ થઈ છે.
ત્યારે હવે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ સામે આદેશ આપવામાં આવ્યા છે. પાણી જનતા માટે આપવાનુ હોય છે. ફેક્ટરી માટે મોકલવામાં આવતુ નથી. જે પણ આ મામલે સંડોવાયેલા છે, તેમની સામે મેયરે કાર્યવાહી કરવા માટે જણાવ્યુ છે.
મહત્વનુ છે કે, અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાના કારણે સ્થાનિકો વલખા મારી રહ્યા છે. જનતાની તરસ છીપાવવાના બદલે મહાનગરપાલિકાના અધિકારીઓ પૈસા લઈને ટેન્કરનુ વેચાણ કરી રહ્યા છે. ટેન્કરનુ વેચાણ કર્યા બાદ આ રૂપિયા નગરપાલિકાને નહીં પરંતુ અધિકારીઓના ખિસ્સામાં જઈ રહ્યા છે.
એક તરફ અધિકારીઓના ખિસ્સા ભરાઈ રહ્યા છે. જનતા તરસી રહી છે. આ મામલે વીટીવી દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. વીટીવીના સ્ટિંગ ઓપરેશનમાં અધિકારીઓએ ટેન્કર ફેક્ટરીમાં મોકલવાનુ સ્વીકાર્યુ હતુ.