રાજકોટ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે ગુજરાતમાં પડેલા સાર્વત્રિક વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધી છે
ભાદરવામાં મેઘરાજા અનરાધાર
નદી-નાળા છલકાતા ખેડૂતો ખુશ ખુશાલ
સારા વરસાદથી જળાશયોમાં પાણીની આવક
રાજકોટ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે ગુજરાતમાં પડેલા સાર્વત્રિક વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધી છે શહેરને પાણી પુરુ પાડતા જળાશયોમાં પાણીની નવી નીર આવતા જળસંકટનો ખતરો ટળ્યો છે. જો કે વરસાદ પાછો ખેંચાતા રાજ્યમાં પાણીની સમસ્યા વિકટ બને તેવી સ્થિતિ સર્જાઈ હતી.પરતું છેલ્લા બે દિવસથી રાજ્યમાં પડેલા વરસાદને પગલે ભાદર ડેમની જળસપાટીમાં પણ સપાટીમાં પણ વધારો થયો છે
ડેમની જળસપાટીમાં પણ સપાટીમાં વધારો
હાલ ભાદર ડેમની જળ સપાટી 24.22 ફૂટે પહોંચી છે.ભાદર ડેમમાં એક દિવસમાં 1.54 ફૂટ નવા નીરની આવક થઇ છે. રાજકોટના આજી ડેમ-1ની હાલની સપાટી પણ 16.80 ફૂટે પહોંચી છે જેમાં એક દિવસમાં 0.43 ફૂટ નવા નીરની આવક થઇ રહી છે
જ્યારે ન્યારી-1 ડેમની હાલની સપાટી 17.10 ફૂટે પહોંચી છે ન્યારી-1માં એક દિવસમાં 0.16 ફૂટ નવા નીરની આવક થઇ છે તો આજી-2 ડેમ ગત રાત્રીથી ઓવરફ્લો થયો છે ચાલુ સીઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો છે, તો આ તરફ સુરતમાં ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી 10 ફૂટ દૂર, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની જળસપાટીમાં સતત વધારો છે.
નર્મદા ડેમની સપાટીમાં વધારો
ગીર-સોમનાથમાં ભારે વરસાદને પગલે જામવાળા ગીરના સિંગોડા ડેમમાં 4 ફૂટ સુધી નવા નીર આવ્યા છે જ્યારે સિંગોડા ડેમ હાલ 43.64 ફૂટ સુધી ભરાયો ડેમની કુલ સપાટી 61.68 ફૂટ છે. રાજ્યમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 63 સેમીનો વધારો થયો છે.
ઉપરવાસમાંથી 32,654 ક્યુસેક પાણીની આવક થતા હાલ નર્મદા ડેમની સપાટી 119.02 મીટરે પહોંચી છે તેમજ ડેમના પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યા છે, જો કે નર્મદા ડેમમાં હાલ 4775.17 MCM લાઈવ સ્ટોરેજ છે.
ભાદરવામાં મેઘરાજા અનરાધાર
ભાદરવામાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે ત્યારે જળાશયોમાં નવા નીર આવ્યા છે. 100 તાલુકામાં એક ઇંચથી 10 ઇંચ સુધી વરસાદ વરસતા ડેમોમાં પાણીની આવકમા વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 100 તાલુકામાં સારો વરસાદ થતા ખેડૂતો પાકને પણ સિંચાઈ માટે પાણી મળી રહ્યું છે. આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે.
નદી-નાળા છલકાતા ખેડૂતો ખુશ ખુશાલ
સૌરાષ્ટ્રમાં અનેક નદી-નાળા છલકાતા ખેડૂતો ખુશ ખુશાલ બન્યા છે. સૌરાષ્ટ્રમાં 20થી વધારે ડેમમાં નવા પાણીની આવક વધી છે. જ્યારે ગીર-સોમનાથમાં સુત્રાપાડામાં 10 ઇંચ, માણાવદરમાં 8 ઇંચ, વંથલી-દ્વારકામાં 7 ઇંચ, વેરાવળમાં 6 ઇંચ વરસાદ, કુતિયાણા-ગોંડલમાં 6 ઇંચ, માળિયા-વિસાવદરમાં 5 ઇંચ વરસાદ થતા દુષ્કાળની સ્થિતિ વચ્ચે નદી-ડેમ છલકાતા પાણીની સમસ્યા હળવી બની છે. શેત્રુંજી ડેમ થયો ઓવરફલો, ડેમના 59 દરવાજા 1 ફૂટ અને 6 ઈંચ ખોલાયા છે.