૫ જુન એટલે પર્યાવરણ દિવસ આ દિવસે રાજ્યના મુખ્યમત્રી દ્વારા સાબરમતી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં સાબરમતી સ્વચ્છ બને તે મુખ્ય નેમ હતી. સરકારના આ નેમમાં શહેરના લાખો લોકો સહયોગ આપીને સાબરમતી સ્વચ્છ કરવામાં આવી. પરતું હાલ સ્થતિ જૈસે થે તેવી સ્થતિ છે.
૫ જુને મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમથી અમદવાદ મહાનગરપાલિકા અને સરકારના સંયુક્ત ઉપક્રમે સાબરમતી નદીને સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી. અમદાવાદ મહાનગરપાલિકા અને સરકારની નૈતિકતા સામે શહેરભરના નાગરિકો, સંસ્થાઓ અને સમાજ શેષ્ટિ અને નેતાઓ પણ સ્વેચ્છાએ સાબરમતી સ્વચ્છ બને તે માટે આગળ આવ્યા અને તમામ લોકો સાબરમતીને શ્રમદાન કરીને સાબરમતી નદીને સ્વચ્છ કરી.
ગાંધીજીના સ્વપ્ન સમાન બાપુની ૧૫૦મી જન્મ જયંતિ સાર્થક કર્યા સમાન સાબરમતી સ્વચ્છતાને જોવામાં આવી. નગરજનો પણ સાબરમતી સ્વચ્છતા જોઈ લાગ્યું કે સાબરમતી સ્વચ્છ બનતા બાપુને સાચી અંજલી આપી. પરંતુ એ વાતને દિવસો વિતતા જાણે બાપુએ કરેલા દાંડી કુચની ચળવળ સમાન ચળવળ થઈને અને તંત્ર દ્વારા ફરી દાંડી પુલ નીચે પ્રદુષણ ઠાલવવાનું શરુ થયું.
જો કે સાબરમતી નદીને સ્વચ્છ કરવામાં તંત્રના વાયદા પોકળ સાબિત થયા. કેમકે અખબારનગર, વાડજ અને ચન્દ્રભાગા નગરનું ગટરની પાણી આસાનીથી સાબરમતી નદીમાં વહેવા લાગ્યું.
જેના થકી લાખો લોકો શ્રમદાન પાણી ફરી વળ્યું અને સ્વચ્છ થયેલી સબરમતી નદી ફરી એક વાર પ્રદુષિત પાણી સાથે પ્રદુષણ યુક્ત બની ગઈ. હાલ તો સાબરમતીમાં તંત્ર દ્વારા નેમ કરેલા ટ્રીટમેન્ટ થયેલા પાણી બદલે ગટરનું પાણી ભળવા લાગ્યુ.
ઘરોઈથી નીકળીને ખભાતને અખાતને મળતી સાબરમતી નદીને સ્વચ્છત બનતા ખેડૂતો ખુશી વ્યક્ત કરવા લાગ્યા કે વર્ષોથી ભળતા પ્રદુષણ પાણીને બદલે શુદ્ધ પાણી સાથે સારો પાક અને સારી ઉપજ મળશે. પરંતુ સમગ્ર ઘટના જોતા લાગી રહ્યું છે કે ફક્ત તંત્ર દ્વારા બ્રહ્મક વાતો સાથે ખેડૂતો નગરજનોને સાબરમતી સ્વચ્છ કરવાની વાત કરી હોય એમ લાગી રહ્યું છે.