સરકારના સાબરમતી સ્વચ્છતા અભિયાન પછી તમે કદાચ ધાર્યું હશે કે હવે અમદાવાદની સાબરમતી નદી ચોખ્ખી ચણાક થઈ જશે. તેમાં કોઈજાતનુ પ્રદૂષણ જોવા નહીં મળે. પરંતુ હકીકતમાં એવું નથી બન્યું. હજુ સત્તાધીશો સાબરમતીને સ્વચ્છતાના સંકલ્પ લીધાને થોડા દિવસો જ થયા છે. ત્યાં જ સાબરમતીમાં ગંદા ગટરના પાણી વહેતા થયા છે. કેમ આખરે સાબરમતી વારંવાર મેલી થઈ રહી છે.
ગાંધીજીની આઝાદીની લડતને યાદ અપાવતાં આ ઐતિહાસિક દાંડી પુલ પુલ નીચે તમે જઇને જોશો તો પ્રદુષણ સિવાય કંઈ નજર નહીં પડે. ગાંધીબાપુના નામે તાયફા કરી સરકાર મસમોટા સ્વચ્છતા અભિયાન શરૂ તો કરે છે. પરંતુ તેમાં સાબિત થઈ શકતી નથી. તેવું આ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સાબરમતી નદી મેલીને મેલી જ રહે છે. આ ઐતિહાસિક નદીને મેલી રાખવા પાછળ તંત્રની દાનતને સમજી શકાતી નથી. એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીને સાફ કરવાનું હાલમાં જ મહાઅભિયાન ચલાવવામાં આવ્યું હતું. પ્રચાર પ્રસાર માધ્યમોમાં કરોડોની ધૂમાડો કરી અને લાખો લોકોને સાબરમતી સ્વચ્છ કરવા લગાવવામાં આવ્યાં.
સાબરમતી સ્વચ્છતાના આ મહાઅભિયાનમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ આખું તંત્ર જોડાયું હતું. પરંતુ આ પ્રદૂષણના તાજેતરમાં નજરે ચઢતી ગંદકી જોઈને લાગે છે કે સરકારની આ મહેનત કદાચ એળે ગઈ છે. બેરોકટોક નદીમાં ગંદુ, ગંધાતુ પાણી છોડવામાં આવી રહ્યું છે. અખબારનગર, વાડજ અને ચન્દ્રભાગા નગરની ગટરનું પાણી ટ્રીટમેન્ટ થયા વગર જ સાબરમતી નદીમાં ઠલવાઈ રહ્યું છે.
આમ, VTV તો હંમેશા સાબરમતી મેલી જોવે ત્યારે પોતાની ફરજ બજાવી અને તંત્રને ઢંઢોળવાના પ્રયાસો કરતું રહે છે. પરંતુ તંત્રના મનમાં સાબરમતી નદી પ્રત્યે પ્રેમ માત્ર દેખાવ પૂરતો જ લાગે છે. બાપુએ જે તટ પર સાધના કરી અંગ્રેજોને ભગાડ્યા. પ્રધાનમંત્રી મોદીએ જે કિનારે સપના જોયા અને સાકાર કર્યા. તે જ સાબરમતીના કિનારે સત્તાધીશો દ્વારા સ્વચ્છતાના મહાઅભિયાન જરૂર થાય છે. પણ તેનું પરિણામ મળતું નથી આ એક વરવી હકીકત છે.