ઘરમાં પાણીને યોગ્ય સ્થાન અને સાચી દિશામાં રાખવાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય અનુકૂળ રહે છે તથા સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. અહીં આપ જાણી શકો છો.
ઘરમાં પાણીને યોગ્ય સ્થાન અને સાચી દિશામાં રાખવાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય અનુકૂળ રહે છે તથા સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. અહીં આપ જાણી શકો છો.
1 પાણીનું વાસણ રસોડાની ઉત્તર-પૂર્વ અથવા પૂર્વમાં ભરીને રાખવું જોઇએ.
2 પાણીનું સ્થાન ઇશાન ખુણો છે. તેથી પાણીની ટાંકી, ભૂમિગત ટાંકી અથવા બોરિંગ પૂર્વ, ઉત્તર અથવા પૂર્વોત્તર દિશામાં હોવું જોઇએ.
3 પાણીને ઉપર મોકલનાર મોટર પંપ પણ આ દિશામાં હોવી જોઇએ.
4 દક્ષિણ-પૂર્વ, ઉત્તર-પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ કોણમાં કૂવો અથવા ટ્યૂબવેલ ન હોવો જોઇએ. તેના માટે ઉત્તર-પૂર્વ ખુણો યોગ્ય રહે છે. તેના કારણે વાસ્તુ સંતુલિત બની રહે છે.
5 ઓવર હેડ ટાંકી ઉત્તર અને વાયવ્ય ખુણા વચ્ચે હોવી જોઇએ. ટાંકીનો ઉપરનો ભાગ ગોળ હોવો જોઇએ.
6 અન્ય દિશામાં કૂવો અથવા ટ્યૂબવેલ હોય, તો તેને ભરી દેવો અથવા સંભવ ન હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઇએ.
7 બાથરૂમનું સ્થાન પૂર્વ દિશામાં શુભ હોય છે.
8 ધ્યાન રાખો, ઘરના કોઇપણ નળમાંથી પાણી લીક ન થવું જોઇએ નહિંતર દરિદ્રતાની સ્થિતી પેદા થઇ શકે છે.