એક તરફ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે બીજી તરફ તંત્રની ઉદાસીનતા સામે આવી છે, તંત્રના વાંકે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અનેક વિસ્તારમાં ડ્રેનેજ પાણી લીકેજ થઈ રહ્યું છે દુષિત પાણી રસ્તા પર વહેતું જોવા મળ્યું
વડોદરામાં તંત્રની આંખ આડા કાન
ડ્રેનેજ લીકેજ હજારો લીટર પાણીનો વેડફાટ
રોડ રસ્તા પરથી વહી રહ્યું છે દુષિત પાણી
ચોમાસા બાદ રાજ્યના શહેરમાં રોગચાળો વકરે છે હાલ રાજ્યમાં વરસાદને લાંબો વિરામ લીધો છે ત્યારે હવે વડોદરામાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. એવામાં તંત્રની બેદરકારી સામે આવી છે. ડ્રેનેજ પાણીની લાઈન લીકેજ થતા રોડ રસ્તા પર પાણી વહેતું જોવા મળી રહ્યું છે. રસ્તા પરથી પાણી વહેતું હોય તેવું દ્રશ્યો જોઈ શકાય છે કે વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા છે તંત્રમા વાંકે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે શહેરના અનેક વિસ્તારમાં પાણી લીકેજની સમસ્યા જોવા મળી રહી છે.
વડોદરામાં તંત્રની આંખ આડા કાન
બીજી તરફ શહેરમાં રોગચાળો પણ માંથું ઉચકી રહ્યો છે. વડોદરામાં શહેરમાં પાણી જન્ય અને મચ્છરજન્ય રોગનું પ્રમાણ વધતા તંત્રની ઉદાસીનતા સામે આવી છે. છતા પણ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી ત્યારે તંત્રની આંખ આડા કાન કરવાની નીતિ પર સવાલો ઉઠી રહ્યા છે.
શહેરમાં પાણી જન્ય અને મચ્છરજન્ય રોગ વધ્યા
શહેરમાં મચ્છરજન્ય રોગોએ ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. ડેન્ગ્યૂ ચિકનગુનિયા, ઝાડા, ઉલટી, સહિત તાવના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસમાં દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે જેમાં મોટાભાગના દર્દીઓ વાઈરલ ઈન્ફેક્શન કે સિઝનલ ફ્લૂનો ભોગ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ધીમે ધીમે શહેરમાં ડેન્ગયૂ ચિકનગુનિયા સહિતના કેસ વધી રહ્યા છે ત્યારે પાલિકાના ચોપડે છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યૂના 80થી વધુ કેસ સામે આવ્યા છે જ્યારે ઝાડા ઉલટી, તાવ જેવા રોગચાળાને પગલે પાલિકામાં અત્યાર સુધીમાં 300થી વધુ દર્દીઓ ચોપડે નોંધાયા છે.
શહેર આ વિસ્તારમાં રોગનું વધ્યું પ્રમાણ
જો વાત કરવામાં આવે તો શહેરમાં આ વિસ્તારોમાં રોગાચાળો વધુ વકર્યો હોય તેવું મનાઈ રહ્યં છે, વાસણા ભાયલી રોડ, સેવાસી, ન્યુ સમા, છાણી, નવાયાર્ડ,વાડી, કારેલીબાગ, ચાર દરવાજા, તેમજ મકરપુરા, આજવા રોડ જેવા વિસ્તારકોમાં રોગચાળો વધુ હોય તેવું મનાઈ રહ્યું છે. પાલિકાના ચોપડે જ 15 દિવસમાં ડેન્ગ્યૂના કુલ 83 અને ચિકનગુનિયાના 35 કેસ,3 દિવસના સર્વેમાં તાવના 300થી વધુ દર્દી સામે આવ્યા છે.