ન્યૂ દિલ્હીઃ પુલવામાનાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરતા ભારત સરકારે સિંધુ જળ સમજૂતી સિવાય પણ અત્યાર સુધી પાકિસ્તાનને આપવામાં આવી રહેલ બ્યાસ રાવી અને સતલુજ નદીનાં પાણીને રોકવાનો નિર્ણય કર્યો છે.
સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે આ ત્રણ નદીઓ પર બનેલ પ્રોજેક્ટ્સની મદદથી પાકિસ્તાનને આપવામાં આવી રહેલ પાણીને હવે પંજાબ અને જમ્મુ-કશ્મીરની નદીઓમાં પ્રવાહિત કરવામાં આવશે.
બુધવારનાં રોજ આ જાહેરાત પહેલાં બાગપતનાં એક કાર્યક્રમમાં શામેલ થવા પહોંચેલ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું 'ભાગલાં બાદ ભારત અને પાકિસ્તાનને ત્રણ-ત્રણ નદીઓનાં પાણીનાં ઉપયોગની પરવાનગી મળી હતી.
આ સમજૂતી છતાં ભારતનાં વિસ્તારમાં આવેલ ત્રણ નદીઓનું પાણી અત્યાર સુધી પાકિસ્તાનમાં પ્રવાહિત થઇ રહ્યું હતું. હવે અમે આ ત્રણ નદીઓ પર પ્રોજેક્ટ્સનું નિર્માણ કરાવ્યું છે જેની મદદથી હવે ત્રણ નદીઓનું પાણી પંજાબ અને જમ્મુ-કશ્મીરનાં લોકોને માટે ઉપયોગ કરવામાં આવશે. એક વાર જ્યારે આ કામ શરૂ થઇ જશે તો આનાંથી યમુના નદીનાં જળસ્તરમાં વૃદ્ધિ પણ થઇ શકશે.'
#WATCH Union Minister Nitin Gadkari says "Bharat aur Pakistan hone ke baad jo humari 3 nadiyan Pakistan ko mili thi aur 3 Bharat ko mili thi. Humare teen nadiyon ke adhikar ka paani Pak mein ja raha tha ab uss par 3 project karke yeh paani bhi Yamuna mein wapas la rahe hain." pic.twitter.com/w6EfYi3cGg
જાણો 1960માં પાક. સાથે કેવી રીતે થઇ હતી સમજૂતીઃ
તમને જણાવી દઇએ કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1960માં થયેલ સિંધુ જળ સમજૂતી પૂર્વ તરફ વહેનાર નદીઓ- બ્યાસ રાવી અને સતલુજને માટે થયેલ છે. આ સમજૂતી અંતર્ગત ભારતને 3.3 કરોડ એકર ફીટ પાણી મળ્યું છે. જ્યારે પાકિસ્તાનને 80 એમએએફ પાણી આપવામાં આવેલ છે.
વિવાદાસ્પદ એ છે કે સંધિ અંતર્ગત પાકિસ્તાનને ભારતથી વધારે પાણી મળે છે જેનાંથી અહીં સિંચાઇમાં પણ આ પાણીનું સીમિત રીતે ઉપયોગ થઇ શકે છે. માત્ર વિજળીનાં ઉત્પાદનમાં આનો વધારે ઉપયોગ થાય છે. આ સાથે જ ભારત પર પરિયોજનાઓનાં નિર્માણને માટે પણ સટીક નિયમ બનાવવામાં આવેલ છે.