રાજકોટઃ કાળઝાળ ઉનાળો શરૂ થઈ રહ્યો છે. માનવી પીવાના પાણીની ગમે ત્યાંથી વ્યવસ્થા કરી શકે છે. પરંતુ જંગલ વસવાટ કરતા પ્રાણીઓની હાલત ખૂબ જ દયનીય બની જતી હોય છે. ત્યારે જૂનાગઢની ભાગોળે આવેલા ગિરનાર જંગલમાં વરસાદી પાણીના સ્રોત ખૂટી જતાં વન્યજીવ સૃષ્ટિ માટે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
અહીં જંગલમાં 50થી વધુ સિંહ ઉપરાંત દીપડા અને અન્ય તૃણભક્ષી પ્રાણીઓ વસવાટ કરે છે. જેને ઉનાળામાં પાણીની શોધમાં માનવવસ્તીમાં જવું ન પડે તે માટે જંગલ ખાત દ્વારા જ જંગલમાં 100 સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
પાણીની કુંડીઓ ભરીને તેમ જ ટેન્કર દ્વારા અને પવનચક્કી વડે દિવસમાં બે વખત પાણી ભરવામાં આવી રહ્યું છે. આગમી ચોમાસા સુધી જંગલમાં વસવાટ કરતાં પ્રાણીઓ માટે આ વ્યવસ્થા મહત્વની પુરવાર થશે.