મુંબઇ: દેશમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારે મહારાષ્ટ્રમાં મુંબઈ અને મલબારહિલ વિસ્તારમાં મોડી સાંજે વરસાદ પડયો હતો. વરસાદ પડવાના કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. મોડી સાંજે ખરીદી કરવા નીકળેલા તેમજ ઓફિસથી છૂટેલા લાકો ભીંજાઈ ગયા હતા. તો કેટલાક લોકોએ વરસાદમાં ભીંજાવાનો આનંદ લીધો હતો. ક્યાંય વરસાદના કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. તો ક્યાંક બાઈકચાલકો ફસાયા હતા.
ઉલ્લેખનીય છે કે ભારે પવન સાથે મહારાષ્ટ્રનાં તેહેનમાં અનેક વૃક્ષોને ઉખાડી ફેંકાયાં હતા. ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગ (આઇએમડી) મુંબઇએ એક ચેતવણી આપતા કહ્યું હતું કે ભારે વિજળી સાથે તેજ તોફાનની સાથે-સાથે ભારે આંધી સાથે હજી પણ આગામી કલાકો દરમ્યાન ઠાણેમાં થવાની સંભાવના છે.
આપને જણાવી દઇએ કે સરકારે કહ્યું હતું કે આગામી સમયમાં મોન્સૂન ઝડપ પકડી રહ્યું છે અને કેરલ તટીય કર્ણાટક કોંકણ ક્ષેત્ર અને ગોવામાં સાત જૂનથી વરસાદ આવવાના છે. 8 થી 10 જૂનની વચ્ચે પશ્વિમી તટ અને ખાસ કરીને મુંબઇમાં વરસાદ આવવાની આગાહી કરી હતી.
જો કે આજે મોડી સાંજે મેઘ મહેર થતાં મલબાર હિલના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વરસાદને પગલે ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. તેમજ કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયાના સમાચારો પણ પ્રાપ્ત થયા હતા.
#Maharashtra: Trees uprooted in #Thane following strong winds. Indian Meteorological Department (IMD) Mumbai has issued a warning stating that thunderstorm accompanied with gusty winds with lightning is likely to occur in Thane during next few hours. pic.twitter.com/GAkfSTiNR2
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં મોન્સૂનના પહેલા વિકેન્ડ દરમિયાન છેલ્લા 72 કલાકમાં વિવિધ ઘટનાઓમાં ઓછામાં ઓછા 13 લોકો મૃત્યુ પામ્યા છે. એમાંથી વધારે લોકોના મૃત્યુ પાણીમાં ડૂબવાથી થયા છે. ત્યારે આજે સાંજે પડેલા ધોધમાર વરસાદને પગલે મુંબઇગરાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.