ગ્લોબલ વોર્મિંગના કારણે હિંદ મહાસાગરનું વધતું જળસ્તર ચિંતાનો વિષય છે. એક અભ્યાસ અનુસાર છેલ્લી બે શતાબ્દીમાં મધ્ય હિંદ મહાસાગરના જળસ્તરમાં લગભગ એક મીટરનો વધારો થયો છે. નેચર જીઓ સાયન્સમાં પ્રકાશિત સંશોધનમાં સમુદ્રના જળસ્તર અંગે નવી જાણકારી આપવામાં આવી છે.
કેનેડાની સાયમન ફ્રેઝર યુનિવર્સિટીના પ્રોફેસર પોલ કેન્ચે જણાવ્યું કે અમે જાણીએ છીએ કે ખાસ પ્રકારના શેવાળ જીવાશ્મી ભૂતકાળમાં સમુદ્રના જળસ્તરમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હતા. તેમણે જણાવ્યું કે અમે આ જીવાશ્મીની ઉંમર અને ઊંડાણને માપીને જોવાની કોશિશ કરી રહ્યા છે કે સેંકડો વર્ષ પહેલાં હિંદ મહાસાગરના ઘણા ભાગમાં જળસ્તર ખૂબ જ ઓછું હતું.
સંશોધકોએ જણાવ્યું કે છેલ્લી બે સદીમાં સમુદ્રના જળસ્તરમાં પરિવર્તન આવ્યું છે. ઔદ્યોગિકકાળ બાદ તેમાં વધારો થયો છે. સમુદ્રનું જળસ્તર ઐતિહાસિક રીતે કેવું રહ્યું છે અને તે વધતાં પછી શું થાય છે આ બધું બાબતો એ સમજવામાં મદદ કરશે કે ભવિષ્યમાં સમુદ્ર જળસ્તર વધવાથી શેવાળ અને દ્વીપ પર શું અસર પડશે. ૨૦૧૭માં શરૂ થયેલા આ અભ્યાસમાં જળસ્તર વધવાથી ગંભીર ખતરો હોવાની વાત કહેવાઇ છે.