દેશની રાજધાની દિલ્હી અને આસાપાસના વિસ્તારમાં પૂરનો ખતરો જોવા મળી રહ્યો છે. હરિયાણમાં ભારે વરસાદના કારણે દિલ્હીમાં યમૂના નદીનું જળસ્તર ખતરાનાં નિશાનથી ઉપર વહી રહ્યું છે.
હરિયાણાના હથનીકૂંડ બૈરાજમાંથી અંદાજે 9 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતાં દિલ્હીમાં યમૂના નદીનું જળસ્તર ખતરાના નિશાન કરતાં ઉપર છે. જેના કારણે દિલ્હીના નિચાણવાળા વિસ્તારોને ખાલી કરાવાયાં છે.
હથિનીકૂંડ બૈરાજમાં જળસ્તરે 6 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. રવિવારે જળસ્તર 8.28 લાખ ક્યૂસેક સુધી પહોંચી ગયું હતું. આ અગાઉ 2013માં જળસ્તર 8 લાખ ક્યૂસેક સુધી પહોંચ્યું હતું. અત્યાર સુધીમાં હથિનીકૂંજ બૈરાજમાંથી યમૂના નદીમાં 8 લાખ ક્યૂસેકથી વધારે પાણી છોડવામાં આવ્યું છે.
Delhi: Water level of Yamuna river rises to 205.94 meters, 0.61 meters above the danger level of 205.33 meters. (file pic) pic.twitter.com/bLcnkDLQeQ
દિલ્હી તરફ 40 વર્ષ પછી આટલું પાણી છોડવામાં આવ્યું છે. જેથી દિલ્લીના ઉસ્માનપુર, ખજુરી ચોક, મયૂર વિહારને ખાલી કરાવવામાં આવ્યું છે. બુરાડી, ખાદર વિસ્તારને ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે યમુના નદી પરના જૂના બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
હિમાચલ પ્રદેશમાં નદીઓમાં પૂરની સ્થિતિના કારણે લોકોને હાલાકી
હિમાચલપ્રદેશમાં પહાડો પર થયેલા વરસાદના કારણે નદીઓમાં ભારે પાણીની આવક થઈ રહી છે. જેના કારણે નદીઓ ગાંડીતૂર થઈ ગઈ છે. નદીઓમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. જેના કારણે નદીના કિનારાઓ ધોવાઈ રહ્યા છે. તો અનેક જગ્યાએ ફૂટ ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
Himachal Pradesh: Flooding in parts of Una district following heavy rainfall in the state. (19/8/2019) pic.twitter.com/tkR7G9PFcK
હિમાચલપ્રદેશમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર થઈ ગઈ છે. ત્યારે બ્યાસ નદીમાં પાણી છોડવામાં આવતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બ્યાસ નદી ગાંડીતૂર થઈ ગઈ છે. જેના કારણે નદી કિનારાના તમામ ગામડાઓને અલર્ટ કરી દેવાયા છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની સાથે ભૂસ્ખલન
હિમાચલપ્રદેશમાં ભારે વરસાદની સાથે સાથે ભૂસ્ખલનનો પણ કહેર પણ જોવા મળી રહ્યો છે. વરસાદનું જોર એટલું છે કે હવે પહાડો પણ ધસી રહ્યા છે. એક બાદ એક માર્ગો ભૂસ્ખલનના કારણે બંધ થઈ રહ્યા છે. ત્યારે કાંગરા-પઠાણકોટ હાઈ-વે પર ભૂસ્ખલન થતાં માર્ગ ક્ષતિગ્રસ્ત થયો છે. જેના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.