છલોછલ પાણી / ગુજરાતની જીવાદોર સમાન સરદાર સરોવર ડેમની સપાટી 131 મીટરે પહોંચતા દરવાજા ખોલાશે

Water level in Narmada dam rises to 131.10 metre

ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં થઈ ભારે રહેલા વરસાદના કારણે ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમમાં ઉપરવાસમાંથી 50 હજાર 456 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 52 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમની જળસપાટી 131 મીટર સુધી પહોંચી છે. ત્યારે હવે નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ