હવામાંથી પાણી ઉત્પન્ન કરવાની ટેકનિક દ્વારા હવે મધ્ય રેલ્વેના મુંબઈ ડિવીઝનના છ રેલ્વે સ્ટેશનો પર પીવાના પાણીનું વિતરણ થશે.
રેલ્વે સ્ટેશન પર મળશે નવી સુવિધા
હવામાંથી બનાવેલુ પાણી મળશે
એક લીટર બોટલના 15 રૂપિયા ચુકવવા પડશે
હવામાંથી પાણી ઉત્પન્ન કરવાની ટેકનિક દ્વારા હવે મધ્ય રેલ્વેના મુંબઈ ડિવીઝનના છ રેલ્વે સ્ટેશનો પર પીવાના પાણીનું વિતરણ થશે. આ ટેકનિકને સંયુક્ત રાષ્ટ્ર તરફથી માન્યતા મળી ગઈ છે. મેધદૂત એક વાયુમંડળીય જલ જનરેટ ઉપકરણ છે, જે પાણીની વરાળને તાજી અને સ્વચ્છ પેયજળમાં પરિવર્તન કરવાની નવી ટેકનિકનો ઉપયોગ કરે છે.
હવામાંથી બનશે એક હજાર લીટર પાણી
આ સ્વિચ ઓન કરવાના થોડા કલાકોની અંદર પાણી બનવાનું શરુ કરે છે અને એક દિવસમાં 1000 લીટર પાણી તૈયાર કરે છે. આ ટેકનિક 18થી 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 25થી સો ટકા આદ્રતા સુધી સ્થિતિમાં સફળ થાય છે. તેને પીવા યોગ્ય પાણી માટે તાત્કાલિક સમાધાન તરીકે ઉપયોગ થાય છે. એક અધિકારીએ કહ્યું કે, મૈત્રી એક્વાટેક પ્રાઈવેટ લિમિટેડને 17 એડબ્લ્યૂજી કિયોસ્ક સ્થાપિત કરવા માટે પાંચ વર્ષ માટે કોન્ટ્રાંક્ટ આપ્યો છે. કંપનીએ પહેલા પાણીના ઉત્પાદન માટે સીએસઆઈઆર અને ભારતીય રસાયણિક ટેકનિકલ સંસ્થા હૈદરાબાદ સાથે સહયોગ કર્યો છે. રેલ્વેને છ સ્ટેશન પરિસરોમાં કિયોસ્ક માટે 25.5 લાખ રૂપિયા વાર્ષિક લાયસન્સ ફી ચુકવણી મળશે. મુંબઈમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને દાદરમાં પાંચ-પાંચ, ઠાણેમાં ચાર, કુર્લા, ઘાટકોપર અને વિક્રોલીમાં એક એક વોટર કિયોસ્ક લગાવામાં આવશે.
એક લીટર પાણીના 12 રૂપિયા આપવા પડશે
કંપનીએ કહ્યું કે, વોટર કિયોસ્કથી રેલ મુસાફરોને પાંચ રૂપિયા આપીને 300 મિલી, આઠ રૂપિયામાં 500 મિલી અને 12 રૂપિયામાં એક લીટરની બોટલ ભરી શકશે. બોટલ સહિત મુસાફરોને 300 મીલી માટે સાત રૂપિયા, 500 મીલી માટે 12 રૂપિયા અને 1 લિટરની બોટલ માટે 15 રૂપિયા આપવા પડશે.