સુરતમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે સુરત સિવિલ પરિસરમાં પાણી ભરાયા છે. સિવિલમાં પાણી ભરાતા મંત્રી પાણીમાં ઉતરી ગયા છે. સિવિલની બદહાલી મામલે આરોગ્ય મંત્રીએ મૌન સેવ્યું છે. મંત્રી પાણીમાંથી ગયા પરંતુ પાણી ભરાવા મુદ્દે બોલ્યાં નહી. પાણી ભરાવાના કારણે દર્દીઓને પણ હાલાકી પડી રહી છે.