સાબરકાંઠા જીલ્લાનાં આદિવાસી તાલુકાઓમાં તો પાણીની તંગી વર્તાઈ રહી છે. પણ જીલ્લાનો આગળ પડતો ગણાતો તલોદ તાલુકો પણ તંગીનો સામનો કરી રહ્યો છે. અહીં મજુરી કામ કરીને પેટીયું રળતા લોકો કામ ધંધા છોડીને પાણી માટે પ્રદક્ષિણા કરી રહ્યાં છે. અનેક રજૂઆતો છતાં પણ અહીં ઠેરની ઠેર જળતંગી છે.