જળસંકટ / બાબુઓની બેદરકારી! કરોડોનાં ખર્ચે બનેલ બોરસદ દેગડિયા યોજના ખાડે જતાં પાણી વિના તરસ્યાં ગામો

Water crisis in South Gujarat Villages

માંગરોળ, ઉમરપાડા અને માંડવી તાલુકાઓ હાલમાં પાણીને લઇને કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. આ ત્રણેય તાલુકામાં પાણીની માંગને પહોંચી વળવા માટે સરકાર દ્વારા 35 કરોડનાં ખર્ચે માંગરોળનાં રતોલા ગામ ખાતે બોરસદ દેગડિયા પાણી પુરવઠા જૂથ યોજના વર્ષ 2006માં શરૂ કરવામાં આવી હતી. યોજના ખૂબ જ સારી અને આશીર્વાદરૂપ હતી. માંગરોળનાં ૨૩, માંડવીનાં ૨૩ અને ઉમરપાડાનાં 2 ગામોને આ યોજના થકી પાણી પહોંચાડવાનું હતું પરંતુ આખરે કેટલાં ગામોને આ પાણી પહોચ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ