બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:10 PM, 28 May 2019
ગાંધીજીની નગરી પોરબંદરમાં પણ પાણીનાં પોકાર પડી રહ્યાં છે. પોરબંદરનાં બાપુનગર વિસ્તારમાં 8-8 દિવસે પાણી આપવામાં આવે છે અને તે પણ અપૂરતું. છેલ્લાં 2 વર્ષથી તંત્રે અહીં પાણીની લાઈન નાખી છે પરંતુ તેમાં તંત્રે ટીપુંય પાણી પહોંચાડ્યું નથી.
ADVERTISEMENT
આ સમસ્યા છે ગાંધીજીનાં જન્મસ્થળ પોરબંદરની આમ તો પોરબંદર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે પણ સૌરાષ્ટ્રનાં આ પેરિસમાં પાણી માટે પ્રજા રીતસરનાં વલખાં મારે છે. પોરબંદરનાં એરપોર્ટ નજીક આવેલ બાપુનગર વિસ્તારમાં લોકો અઠવાડિયાથી વધુ સમય રાહ જોવે ત્યારે પીવાનું પાણી મળે છે અને આટલી રાહ જોયાં પછી પણ પીવા પૂરતું પાણી તો મળતું જ નથી. આથી લોકોને દૂર-દૂર સુધી પીવાનું પાણી ભરવા જવું પડે છે.
ADVERTISEMENT
પીવાનાં પાણીની મુશ્કેલીને કારણે લોકોને પૈસા ખર્ચીને પાણીનાં ટાંકા મંગાવવા પડે છે. સ્થાનિકો પાણીની પરેશાનીનો ઉકેલ તાત્કાલિક આવે તેવો ઈચ્છી રહ્યાં છે. આ વિસ્તારનાં લોકોએ છાંયા નગરપાલિકાનાં સતાધીશોને અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હોવાં છતાં પાલિકાનાં સતાધીશોનાં પેટનું પાણી પણ હલતું નથી શું. ગાંધીનગરી પોરબંદરનાં આ છેવાડાનાં માનવીને તંત્ર પાણી પૂરું પાડશે કે પછી તરસ્યા જ રાખશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.