ધગધગતા તાપની શરૂઆત સાથે જ પાણી. પાણી. પાણીની બુમરાણ સંભળાઈ રહી છે. લોકો પીવાના પાણી માટે હિજરત કરી રહ્યા છે. તો ક્યાંક પીવાનું પાણી અનેક દિવસે મળતા લોકોમાં રોષ છે. તો ક્યાંક બેડાં યુદ્ધજેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ઉનાળાની શરૂઆત સાથે જ કેવી છે ગુજરાતના જળાશયોની સ્થિતિ તે ખરેખર જાણવા જેવી છે.
ધગધગતા તાપની શરૂઆત સાથે જ પાણી. પાણી. પાણીની બુમરાણ સંભળાઈ રહી છે. લોકો પીવાના પાણી માટે હિજરત કરી રહ્યા છે. તો ક્યાંક પીવાનું પાણી અનેક દિવસે મળતા લોકોમાં રોષ છે. તો ક્યાંક બેડાં યુદ્ધજેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ઉનાળાની શરૂઆત સાથે જ કેવી છે ગુજરાતના જળાશયોની સ્થિતિ તે ખરેખર જાણવા જેવી છે.
ઉનાળાની શરૂઆત સાથે જ સંભળાઈ રહ્યું છે. પાણી. પાણી. પાણી. ક્યાંક બેડાં ભભડી રહ્યાં છે. તો ક્યાંક પાણી માટે મહિલાઓ વચ્ચે થઈ રહ્યો છે કજિયો. તો ક્યાંક અનેક કિલોમીટર સુધી પાણીનાં એક બેડાં માટે મહિલાઓએ કરવી પડી રહી છે હીજરત.
કારણ કે, નબળાં ચોમાસાનો પ્રકોપ દેખાવાનું શરૂ થઈ ગયું છે. રાજ્યના જળાશયોની સ્થિતિ ખુબ દયનિય બની છે. અનેક જળાશયોના તળિયા દેખાઈ ગયાં છે. તો અનેક જળાશયો ખાલીખમ થઈ ગયાં છે. જાણે ગુજરાત પર જળસંકટ ઘેરું બની ગયું છે.
કેટલાક જળાશયોમાં તો પાણી ખતમ થવા આવ્યું છે. આવી જ સ્થિતિ અનેક જળાશયોની છે. રાજ્યના 204 જળાશયોમાં માત્ર 34.90 ટકા જ પાણી બચ્યું છે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં 18 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે.
ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 17.73 ટકા જળ સ્તર છે. જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 51.09 ટકા જળસ્તર રહ્યું છે. તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 25.99 ટકા જળસ્તર રહ્યું છે. આ તરફ સૌરાષ્ટ્રના 138 જળાશયમાં 13.25 ટકા પાણી રહ્યું છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 48.98 ટકા જળસ્તર રહ્યું છે.
આ તો એવા જળાશયો વિશે વાત કરી જેમાં પાણી છે. પરંતુ કેટલાક જળાશયોમાં તો જેની અંદરથી માટી ઉડી રહી છે. તેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે, ઉનાળો જેમ-જેમ તપશે તેમ-તેમ ગુજરાતના માથે કપરાં દિવસો મંડરાશે અને આગામી પાણીની બુમરાણ પાટનગર સુધી ગુંજશે.