ગુજરાતમાં ઉનાળા દરમ્યાન જ અનેક જિલ્લાઓમાં પાણીને લઇને પારાયણ સર્જાઇ રહી છે. ત્યારે રાજ્યના 207 જળાશયમાં 49.69 ટકા પાણી બચ્યું છે. સ્થિતિ વધુ ગંભીર બને તેવા એંધાણ છે.
ગુજરાતના 207 જળાશયમાં 49.69 ટકા પાણી બચ્યું
સરદાર સરોવર ડેમમાં 53.25 ટકા પાણી ઉપલબ્ધ
ઝોન મુજબ કેટલા ટકા ભરેલા છે જળાશય?
ગુજરાતના 207 જળાશયમાં 49.69 ટકા પાણી બચ્યું
ગુજરાતમાં એક તરફ અંગ દઝાડતી ગરમી લોકોની મુશ્કેલી વધારી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં દિન-પ્રતિદિન જળસંકટ વધી રહ્યું છે. હજુ તો ઉનાળો બાકી છે. ત્યાં તો રાજ્યના 207 ડેમોમાં 50 ટકાથી ઓછું પામી બચ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાણી માટે પીવાના પાણી બાબતે ભારે સંકટ વધી રહ્યું છે.
સરદાર સરોવરમાં 53.25 ટકા પાણી ઉપલબદ્ધ
રાજ્યના 207 જળાશયમાં 49.69 ટકા પાણી બચ્યુ છે. જેમાં વાત કરીએ તો સરદાર સરોવરમાં 53.25 ટકા પાણી ઉપલબદ્ધ છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 14.77ટકા, મધ્ય ગુજરાતના જળાશયોમાં 43.87 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 60.04ટકા, કચ્છના 20 જળાશયોમાં 19.74 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 37.10 ટકા પાણી બચ્યું છે
ઉત્તર ગુજરાતના જિલ્લા પ્રમાણે પાણીની સ્થિતિ
શહેર પાણીની સ્થિતિ
અરવલ્લી 09.29 ટકા
બનાસકાંઠા 05.17 ટકા
મહેસાણા 12.32 ટકા
સાબરકાંઠા 04.37 ટકા
મધ્ય ગુજરાતના જિલ્લાઓના જળાશયમાં પાણીની સ્થિતિ
શહેર પાણીની સ્થિતિ
છોટા ઉદેપુર 48.36 ટકા
દાહોદ 26.31 ટકા
ખેડા 00.00 ટકા
મહીસાગર 46.50 ટકા
પંચમહાલ 30.12 ટકા
દક્ષિણ ગુજરાતના જિલ્લાના જળાશયમાં પાણીની સ્થિતિ
શહેર પાણીની સ્થિતિ
ભરૂચ 48.80 ટકા
નર્મદા 64.65 ટકા
નવસારી 28.39 ટકા
સુરત 47.54 ટકા
તાપી 56.38 ટકા
વલસાડ 47.67 ટકા
કચ્છ 13.18 ટકા
સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયમાં પાણીની સ્થિતિ
શહેર પાણીની સ્થિતિ
અમરેલી 35.55 ટકા
ભાવનગર 39.58 ટકા
બોટાદ 12.60 ટકા
દ્વારકા 07.58 ટકા
ગીર સોમનાથ 51.70 ટકા
જામનગર 26.23 ટકા
જૂનાગઢ 31.20 ટકા
મોરબી 32.74 ટકા
પોરબંદર 22.57 ટકા
રાજકોટ 43.32 ટકા
સુરેન્દ્રનગર 22.06 ટકા