જળસંકટ / પાણીનાં વલખાં! પાટણનાં આ ગામથી નજીક છલોછલ નર્મદા કેનાલ છતાં લોકો તરસ્યાં

Water crisis in Khokhla village in Chanasma Tehsil of Patan District

રાજ્યનાં અનેક વિસ્તારમાં લોકો હાલ પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. પણ ગામથી એક કિલોમીટર દૂર નર્મદા કેનાલ છલોછલ ભરેલી હોય અને ગામનાં લોકોને પીવાનાં માટે વલખાં મારવા પડે તેને શું કહી શકાય. તંત્રની બેદરકારી કહો કે લાપરવાહી પણ મહેસાણા પાટણ જિલ્લાની બોર્ડર પર આવેલા ખોખલા ગામની આ વાસ્તવિકતા છે. આ ગામમાં વસતા 1000 લોકો ગામ નજીક આવેલા તળાવમાં 8થી 10 ફૂટ ઊંડા ખાડા કરીને પીવાનું પાણી મેળવે છે. આ મામલે તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ