દેશમાં જળસંકટની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતું જઇ રહ્યું છે. નીતિ આયોગની વર્ષ 2018ની કંપોજિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ (CWMI) ની રિપોર્ટ અનુસાર આવનાર દિવસોમાં સ્થિતિ વધુ વિકરાળ બની શકે છે.
રિપોર્ટ અનુસાર ભારતમાં 60 કરોડ લોકો પાણીના સંકટનો સામનો કરી રહ્યા છે. હાલાત એ છે કે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં 80 ટકા લોકો પાસે પાઇપથી પાણી પૂરુ પાડી શકાતું નથી. દેશમાં લોકોને પાઇપથી પાણી પહોંચાડવા માટે સરકારે વર્ષ 2009માં નેશનલ રૂરલ ડ્રિંકિગ વોટર પ્રોગ્રામ (NRDWP) ની શરૂઆત કરી હતી.
NRDWP યોજના હેઠળ માનવામાં આવતું હતું કે દેશના ગ્રામ્ય વિસ્તારોમાં 35 ટકા ઘરો સુધી પાઇપથી પાણી સપ્લાઇ થઇ રહ્યું છે. પરંતુ વર્ષ 2017માં CAG દ્વારા પોતાની રિપોર્ટમાં ખુલાસો કર્યો હતો કે આ આકંડા માત્ર 18.3 ટકા જ છે. એનો અર્થ એ થયો કે, દેશના 80 ટકા ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી પાઇપથી પાણી પહોંચાડી શકાયું નથી. ટાઇમ્પ ઓફ ઇન્ડિયાની ખબર મુજબ NRDWP યોજના હેઠળ કામ પણ ધીમી ગતિ એ ચાલી રહ્યું છે. કેમકે વર્ષ 2014-15માં જ્યા દેશના 17.8 કરોડ ગ્રામ્ય પરિવારોને પાઇપથી પાણીની સપ્લાઇ થઇ રહ્યું હતું. તેમા ગત પાંચ વર્ષમાં માત્ર 5 ટકાનો વધારો થયો છે.
CAG ની રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, વર્ષ 2012થી 2017 વચ્ચે આ યોજના હેઠળ સરકારે 81000 કરોડ રૂપિયાથી વધારે રકમ ખર્ચ નાંખી છે. પરંતુ લક્ષ્યાંક હાંસલ અડધાથી પણ ઓછો રહ્યો છે. ચૌકાવનારી વાત છે કે, સરકાર વિભિન્ન યોજનાઓ હેઠળ 2.4 લાખ કરોડ રૂપિયાની ભારે ભરખમ રાશિ ખર્ચ કરી ચુકી છે.
દેશના માત્ર 5 રાજ્યો અને એક કેન્દ્રશાસિત રાજ્યમાં જ અડધી ગ્રામ્ય જનસંખ્યાને પાઇપથી પાણીની સપ્લાઇ થઇ શકે છે. ઓરિસ્સા, આસામ, બિહાર, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં હાલત ખરાબ છે અને આ રાજ્યોમાં 5 ટકા ગ્રામીણ વસ્તીને પાઇપથી પાણી પહોંચાડાઇ રહ્યું છે.