બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / water crisis in india half of the people will not get drinking water by 2050

સંકટ / સમય રહેતા ન સંભાળ્યું તો અમદાવાદ સહિત દેશના આ 30 શહેરો પર ઉભું થશે મોટું સંકટ, કોરોના કરતા વધુ ખતરનાક છે આ...

Last Updated: 01:13 PM, 4 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જળ સંકટ આવનારા સમયમાં દુનિયા માટે સૌથી મોટી સમસ્યા બની શકે છે . વલ્ડ વાઈડ ફન્ડની એક રિપોર્ટ મુજબ દુનિયાના 100 ઘણા મહત્વપૂર્ણ શહેરોમાં રહેનારા લગભગ 35 કરોડ લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

  • 2050 સુધી જળ સંકટ ચરમ પર પહોંચી શકે 
  • 35 કરોડ લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે
  • ભારતના 30થી વધારે શહેરોમાં ભારે જળ સંકટનો સામનો કરવો પડી શકે 

રિસર્ચ મુજબ જો જળવાયુ પરિવર્તન પર વૈશ્વિત સ્તર પર ધ્યાન નહીં આપવામાં  આવ્યું અને તેને અનુકુળ બનાવવા માટે તાત્કાલિક પ્રયત્ન ન કરવામાં આવ્યો તો ભારતના 30થી વધારે શહેરોમાં ભારે જળ સંકટનો સામનો કરવો પડી શકે છે.

ભારતના જે શહેરોમાં જળ સંકટનો સૌથી પહેલા સામનો કરવો પડી શકે તેમાં મુંબઈ, બેંગલુરુ, કોલકત્તા, જયપુર, ઈન્દોર, અમૃતસર પુણે, શ્રીનગર સહિત લગભગ 30 શહેરોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં જણાવ્યાનુંસાર 2050 સુધી જળ સંકટ ચરમ પર પહોંચી શકે છે અને જેનાથી કરોડા લોકો પર ખરાબ અસર પડી શકે છે.

જે શહેરોમાં પાણીની ભારે અછત હોઈ શકે છે તેની યાદીમાં જયપુર 30 લાખની વસ્તી સાથે 45માં નંબર પર છે જ્યારે 20 લાખની જનસંખ્યાની સાથે ઈન્દોર 75માં સ્થાન પર છે. જે વિસ્તારોમાં હજું સુધી જળ સંકટ 17 ટકા સુધી છે. તે વર્ષમાં 2050 સુધી વધીને 51 ટકા થઈ શકે છે.

આ રિસર્ચ રિપોર્ટમાં ભારતના જે શહેરોને જળ સંકટના કારણે અતિસંવેદનશીલ ગણાવ્યા છે તેમાં અમૃતસર, પૂણે, શ્રીનગર, કોલકત્તા, બેંગલુરુ, મુંબઈ, કોઝિકોડ, વડોદરા, રાજકોટ, કોટા, અમદાવાદ, મુંબઈ, ભોપાલ, ગ્વાલિયર, દિલ્હી, લખનૌ જેવા શહેરોનો સમાવેશ થાય છે.

આ અધ્યયનમાં વર્ષ 2030થી 2050ની વચ્ચે જે શહેરોએ જળ સંકટને લઈને જોખમી ભાગોમાં રાખવામાં આવ્યા છે તેમાં અમદાવાદ, અમૃતસર, ચંદીગઢ જેવા શહેરો પ્રમુખ છે.

ઉલ્લેખનીય છે કે રિસર્ચ કરનારી સંસ્થા વલ્ડ વાઈડ ફન્ડ (WWF)કંપનીઓ અને રોકાણકારઓને દુનિયાભરમાં પાણીની અછત, સંકટ, મૂલ્યાંકન અને મૂલ્યનિર્ધારણમાં મદદ કરે છે. WWFના ઈન્ડિયા પ્રોગ્રામ ડાયરેક્ટર ડૉ. સેજલ વોરાએ કહ્યું કે ભારતમાં કોઈ પણ રીતે સ્થાયી જળસંકટનો સામનો કરી રહ્યું છે અને આ શહેરોનું ભવિષ્ય શું હોઈ શકે છે તેના પર ઉંડા મંથનની જરુર છે.

જો કે મીઠા જળના સંરક્ષણની યોજનાને લઈને સ્માર્ટ શહેર બનાવવાની યોજનાના વખાણ કરવામાં આવ્યા છે. વિશ્લેષણોમાં કહેવામાં આવ્યું છે કે જળ વ્યવસ્થાપન અને સમગ્ર ઢાંચાના વિકાસનો આમાં સમાવેશ થાય છે જેનાથી જળ સંતુલન બનાવી રાખવામાં મદદ મળી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

drinking water water crisis અમદાવાદ પાણી રિસર્ચ water crisis
Dharmishtha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ