ગુજરાતની જીવાદોરી સમાન મા રેવામાં પાણીની ખુબ જ ઓછી આવક, 24 કલાકમાં માત્ર 3 થી 4 સેમીનો વધારો થઇ રહ્યો છે..
રાજ્યમાં સર્જાઇ શકે છે જળસંકટ
નર્મદા ડેમમાં 50 ટકાથી ઓછું પાણી
નર્મદાની જળસપાટી 115.81 મીટર જ
રાજ્યમાં વરસાદ ખેંચાતા જળસંકટ ઉભુ થઇ શકે છે...સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં પણ 24 કલાકમાં માત્ર 3 થી 4 સેમીનો વધારો થઇ રહ્યો છે... હાલ નર્મદા ડેમમાં 50 ટકાથી પણ ઓછું પાણી છે...ગતવર્ષની સરખામણીએ આ વર્ષે ડેમ 20 મીટર જેટલો ખાલી છે...સરદાર સરોવર નર્મદા બંધ ગતવર્ષે 138.68 મીટરને પાર કરતા ડેમના 23 દરવાજો ખોલવામાં આવ્યા હતા...જોકે આ વર્ષે પરિસ્થિતિ કંઇક અલગ જ છે...નર્મદા જિલ્લામાં સીઝનનો અત્યાર સુધીનો માત્ર 487 MM જ વરસાદ પડ્યો છે..
ડેમમાં પાણીની આવક ઓછી જાવક વધુ થશે
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે...પરંતુ સરદાર સરોવરથી ૐકારેશ્વર ડેમ સુધીના વિસ્તારમાં ખુબ ઓછો વરસાદ છે...ઉપરવાસમાંથી પાણીની આવક માત્ર 12 હજાર 350 ક્યૂસેક થઇ રહી છે...જ્યારે જાવક 12 હજાર ક્યૂસેક છે... પણ જો હવે વરસાદ ન પડે તો પહેલાથી જ ઓછા ભરેલા ડેમમાંથી પીવાનું અને સિંચાઇનું પાણી આપવું પરવડે તેમ નથી, કારણ કે આવક ઓછી સામે પાણીની જાવક વધુ પ્રમાણમાં થઈ શકે છે જેના કારણે જો વરસાદ ન પડે તો ઓગસ્ટ બાદ સિંચાઇનું પાણી માંડ માંડ ખેડૂતોને મળશે એ પાક્કું છે. કારણ કે હાલ નર્મદા ડેમમાં 50 ટકાથી પણ ઓછું જેમાંથી પીવા લાયક પાણીનો જથ્થો રિઝર્વ રાખવો વધુ જરૂરી છે. જે કારણ ખેડૂતોના સિંચાઇના પાણી પણ વધુ કાપ મુકાય તેવી શક્યતાઓ છે. ખેડૂતોને પોતાનો પાક બચાવવા પાણીની વધુ જરૂર પડી શકે છે પણ ઓછા જથ્થાને કારણે સિંચાઇમાં મોટું સંકટ આવી શકે છે
નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ શું કર્યો છે નિર્ણય?
હાલ નર્મદા બંધની જળસપાટી 115.81 મીટર છે...નર્મદા નિગમના અધિકારીઓ પણ ઉપરવાસમાં સારા વરસાદની આશા રાખી બેઠા છે...રાજ્યમાં જો વરસાદ ખેંચાશે તો જળસંકટ ઉભુ થશે...ડેમમાં પાણી ઓછું હોવાના કારણે રાજ્યને ઓગસ્ટના અંત સુધી જ સિંચાઇનું પાણી મળશે...તો નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ડેમમાં પીવાનું પાણી 30 સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખવાનો નિર્ણય કર્યો છે...જ્યારે બાકીનું પાણી ખેડૂતોને સિંચાઇ માટે આપવાની જાહેરાત કરી છે...હાલ વાપરી શકાય એટલું પાણી માત્ર 11 ટકા જ છે...નર્મદા ડેમમાંથી દરરોજ ઉદ્યોગોને 125 ક્યૂસેક પાણી અપાય છે...રાજ્ય સરકારે સિંચાઇ માટે કુલ 36 હજાર 500 મિલિયન ક્યૂબિક ફૂટ પાણી આપવાનું નક્કી કર્યું છે...
નર્મદા બંધની સ્થિતિ ઊડતી નજરે...
નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 3 થી 4 સેમીનો વધારો
હાલ નર્મદા ડેમમાં 50 ટકાથી પણ ઓછું પાણી
નર્મદા ડેમમાં હાલ 45.50 ટકા જ પાણીનો જથ્થો
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડેમ 20 મીટર ખાલી
ઉપરવાસમાંથી 12 હજાર 350 ક્યૂસેક પાણીની આવક
નર્મદા ડેમમાંથી 12 હજાર ક્યૂસેક પાણીની જાવક
હાલ નર્મદા બંધની જળસપાટી 115.81 મીટર
નર્મદા ડેમમાં વાપરી શકાય એટલું પાણી માત્ર 11 ટકા
રાજ્યને ઓગસ્ટના અંત સુધી જ સિંચાઇનું પાણી મળશે
30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી આરક્ષિત રાખવાનો નિર્ણય