પાણીની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ઇઝરાયલનું નામ મોખરે છે, જો કે રાજ્યના સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાનું તખતગઢ ગામ પાણીના મામલે ઇઝરાયલની કક્ષાએ પહોંચ્યું છે. સાંભળીને નવાઇ લાગે છે, પરંતુ વાત સાચી છે. આ ગામમાં પાણી માટેના મીટર લગાવામાં આવ્યાં છે જેના કારણે ગામમાં પાણીનો બગાડ અટકાવવા મદદરૂપ બન્યું છે.
સામાન્ય રીતે રાજ્યમાં મોટાભાગના ગામડાઓમાં વીજળી તેમજ પેટ્રોલ-ડીઝલના બિલ આવતાં હોય છે પરંતુ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામે પાણીના પણ બિલ આવે છે. જો કે પાણીના મીટર લગાવ્યા બાદ ગામમાં પાણીનો બગાડ અટકાવવામાં મદદ રૂપ બન્યાં છે.
પાણીની સમસ્યાને ઉકેલવા પ્રાંતિજ તાલિકાના તખલગઢ ગામના લોકોએ એક નવી પહેલ કરી છે. આ ગામમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે. પાણીના મીટર લાગ્યા બાદ પાણીનો બગાડ ઓછો થઇ ગયો છે.
ગામ લોકોને હવે 24 કલાક પાણી મળી રહે છે અને વીજળીના ખર્ચમાં પણ બચત થઇ છે. તો તખલગઢમાં પાણીની સમસ્યા નિવારવા રાજ્ય સરકારની વાસ્મોની મદદ મળી છે.
એક લાખ લીટરનો પાણીનો ટાંકો બનાવાયો છે. જ્યારે મીટર, પાણીની લાઇનો સહિતના ખર્ચમાં પણ સરકારે મદદ કરી છે. જિલ્લા તંત્ર દ્વારા ગામની આ ક્રાંતિને બિરદાવવામાં આવી છે.