પાણી ગુજરાતની સૌથી મોટી સમસ્યા બની ગયું છે. કારણ કે ઓછા વરસાદે આજે લોકોને પાણી માટે રઝડવા, હિજરત કરવા અને હવે બાકી હતું તે જોખમી રીતે કૂવા ખોદવા મજબૂર બનાવ્યા છે.. આવું કાંઈક અમીરગઢના છેવાડાના ગામડાઓમાં જોવા મળી રહ્યું છે.. પહાડી વિસ્તારમાં સરકારના બોરવેલ અને હેન્ડપંપ તો ધૂળ ખાઈ રહ્યા છે.. પરંતુ લોકોએ હવે પાણી માટે પાતાળમાં ઉતરવું પડ્યું છે.. ત્યારે શું છે પાણી માટે પાતાળની પરિક્રમાં જુઓ આ અહેવાલમાં...