ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવદીઓને મળશે મોટી ભેટ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર કમિટી ફરી એક માનવકલ્યાણમાં નિર્ણય લીધો છે. AMCની વોટર કમિટીમાં નિર્ણય લેવાયો છે કે, બે વર્ષમાં ખારીકટ કેનાલને અંડર ગ્રાઉન્ડ કરવામાં આવશે. જેનુ ત્રણ ફેઝમાં કામ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.
ખારીકટ કેનાલનું થશે ડેવલોપમેન્ટ
ચૂંટણી નજીક અવાતા AMCએ મહત્વનો નિર્ણય લીધો છે. ખારીકટ કેનાલને અંડર ગ્રાઉન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. જે બે વર્ષમાં ત્રણ ફેઝમાં કામ પૂર્ણ કરશે. જેમાં નરોડા સ્મશાનથી નવયુગ શાળા સુધી કેનાલનું કામ કાર્ય થશે. તેમદ ઓઢવ ફાયર સ્ટેશનથી થોમસ સ્કૂલ સુધી કેનાલનું સુધી અને ત્યાર બાદ થોમસ સ્કૂલથી વિંઝોલ સુધીનું કેનાલમાં કામ કરવામાં આવશે. ખારીકટ કેનાલના ડેવલોપમેન્ટથી લોકોનો મહત્વનો લાભ થશે. વોટર કમિટીના આ નિર્ણય અમદાવાદીઓએ આવકાર્યો છે.
1200 કરોડનાં ખર્ચે કેનાલનું થશે ડેવલોપમેન્ટ
ખારીકટ કેનાલનું ડેવલોપમેન્ટ કરવામાં આવશે. રૂપિયા 1200ના કરોડના ખર્ચે કેનાલનું ડેવલોપમેન્ટ કરવામાં આવશે. જેમાં 30 મીટરનો ખુલ્લો રોડ ખારિકટ કેનાલ પર બનશે જેમાં 5 ટેન્ડરમાંથી 2 ટેન્ડર મંજૂર પણ કરવામાં આવ્યા છે. વોટર કમિટીના ચેરમેન જતીન પટેલ જણાવ્યું છે કે, ખારીકટ કેનાલનું ડેવલોપમેન્ટ થશે. તેમણે જણાવ્યું કે, ત્રણ ફેઝમાં કેનાલનું કામ પૂર્ણ થશે. જેમાં રૂપિયા 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું ડેવલોપમેન્ટ કરવામાં આવશે જે માટે 5 ટેન્ડરમાંથી 2 ટેન્ડર મંજૂર પણ કરવામાં આવ્યા છે.
યુથ કોંગ્રેસ કર્યો હતો વિરોધ
અગાઉ કેનાલની જાળી પર વિવિધ લખાણવાળા બેનરો લગાવીને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભારતીય યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ દ્વારા ઓઢવ, વિરાટનગર, નિકોલ, ઇન્દ્રપુરી જેવા અલગ-અલગ વિસ્તારમાં બેનર લગાવવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે 6 મહિના જેટલો સમય થઈ ગયો પરંતુ હજુ સુધી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નથી. જે બાદ આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાતમુહૂર્તની તારીખ જાહેર કરવામાં આવી હતી.