આજથી બનાસકાંઠાના સરહદી વિસ્તારના લોકોને નર્મદા કેનાલનું પાણી આજથી 11 મે સુધી નહીં મળી શકે. ખારીયા નજીક સાઇફન કેનાલના નવીનીકરણને લઇ પાણી બંધ કરી દેવાયું છે. નવી સાઇફન કેનાલ મુખ્ય કેનાલ સાથે જોડતા ફરી પાણી છોડવામાં આવશે. જો કે ભર ઉનાળે પાણીની તંગી વચ્ચે 11 દિવસ પાણી બંધ રહેતા બનાસકાંઠાના સરહદી વિસ્તારના લોકોને મુશ્કેલી થઇ શકે છે.
સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો, કાંકરેજ તાલુકાના થરા નજીક ખારીયા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ માં 2017માં આવેલા ભારે પૂરમાં કેનાલમાં અનેક સ્થળે ગાબડા પડતા રીપેરીંગ કામ કરવા ડાયવરઝન અપાયું હતું. ત્યારે હવે એ ડાયવરઝન બંધ કરી પાણીને મેન કેનાલમાં ફરી નાખવા માટે મરામત કામ હાથ ધરાશે. નર્મદા નહેર વિભાગે આ મામલે રાજ્ય સરકાર પાસે થોડા દિવસ અગાઉ મંજૂરી માંગી હતી જે મંજૂરી આવી જતા આજથી 10 દિવસ માટે મુખ્ય નહેરનું પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
આજથી બનાસકાંઠામાં સરહદી વિસ્તારના લોકોને નહીં મળે નર્મદા કેનાલનું પાણી, ભર ઉનાળે પાણી બંધ રહેતા લોકોની મુશ્કેલીમાં થશે વધારો, આજથી 11 મે સુધી પાણી રહેશે બંધ pic.twitter.com/EY0MMRloSg
આ અંગેની વિગતો આપતા નર્મદા મુખ્ય નહેરના નાયબ કાર્યપાલક ઈજનેર આર.જી.પટેલએ જણાવ્યું હતુંકે ‘નવીન બનાવેલા સાયફનમા પાણી ચાલુ કરવા માટે તા.10 મે સુધી પાણી બંધ કરવામા આવનાર છે. ખારીયા પાસે કેનાલની અંદર આડબંધ બાંધીને પીવા પાટે પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામા આવશે. જેથી પીવાના પાણી માટે તકલીફ નહી રહે.ડિસ્ટ્રિબ્યુટરી, માઈનોર, સાઈફન કેનાલમાં પાણી સંગ્રહ કરાશે. નવી સાઈફન કેનાલ સાથે જોઈન્ટ થતા કેનાલમાં પાણી છોડાશે.’