કોરોના વાયરસથી બચવા માટે સાફ-સફાઇ રાખવી અને વારંવાર હાથ ધોવા અંગે કહેવામાં આવી રહ્યું છે. વાયરસ ફેલાવાને લઇને તેના સ્વરૂપ અને સંરચનાને લઇને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે રશિયાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પાણીમાં કોરોના વાયરસ સંપૂર્ણ રીતે નાશ પામે છે. આ સ્ટડી સ્ટેટ રિસર્ચ સેંટર ઓફ વાયરોલૉજી એન્ડ બાયોટેક્નોલૉજી વેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે.
સ્ટીડીમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પાણી કોરોના વાયરસને 72 કલાકની અંતર લગભગ પુર્ણ રીતે ખત્મ કરી શકે છે. સ્ટડી અનુસાર, વાયરસનું સ્વરૂપ સીધી રીતે પાણીના તાપમાન પર નિર્ભર છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે 90 ટકા વાયરસના કણ 24 કલાકમાં અને 99.9 ટકા કણ રૂમમાં સામાન્ય તાપમાન પર રાખવામાં આવેલા પાણીમાં મરી જાય છે.
સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ગરમ પાણીના તાપમાન પર કોરોના વાયરસ સંપૂર્ણ રીતે અને તરત મરી જાય છે. જો કે કેટલીક સ્થિતિઓમાં વાયરસ પાણીમાં રહી શકે છે, પરંતુ તે દરિયા અથવા તાજા પાણીમાં વધી શકે નહીં.
કોરોના વાયરસ સ્ટેનલેસ સ્ટીલ, લિનોલિયમ, કાંચ, પ્લાસ્ટિક અને સિરામિક સપાટી પર 48 કલાક સુધી સક્રિય રહે છે. તપાસમાં સામે આવ્યું છે કે વાયરસ એક જગ્યા પર ટકીને રહેતો નથી અને સૌથી વધારે ઘરેલું કીટાણુનાશક તેને ખત્મ કરવામાં પ્રભાવશાળી સાબિત થાય છે.
તપાસમાં સામે આવ્યું છે કે 30 ટકા કૉન્સન્ટ્રેશનના એથિલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહલ અડધા મીનિટમાં વાયરસના એક લાખ કણોને મારી શકે છે. આ ગત સ્ટડીના એ દાવોઓને ફગાવે છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે વાયરસને ખત્મ કરવા માટે 60 ટકાથી વધારે કૉન્સન્ટ્રેશનવાળા આલ્કોહોલની જરૂરિયાત હોય છે.
નવી સ્ટડીના પ્રમાણે સપાટીને કીટાણુમુક્ત કરવા માટે ક્લોરીન પણ ઘણું અસરકારક સાબિત થયું છે. કોઇપણ ક્લોરીનથી ડિસઇંફેક્ટ કરવા પર Sars-CoV-2 30 સેકંડની અંદર સંપૂર્ણ રીતે નષ્ટ થઇ જાય છે.
રશિયાએ કોરોના વાયરસની વેક્સીન બનાવાનો પણ દાવો કર્યો છે. ત્યાંની મીડિયા રિપોર્ટ અનુસાર ગેમાલેયા ઇન્સ્ટીટયૂટ દ્વારા વિકસિત વેકસીન 15 ઓગસ્ટ સુધી લોકોને ઉપલબ્ધ કરાવી દેવાશે.