એક તરફ ઉનાળો જામ્યો છે અને ગુજરાતમાં ઠેર-ઠેર પાણીની સમસ્યા પણ મોટાપાયે જોવા મળી રહી છે. આ સાથે જ ઘાસચારાને લઇને પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. તો ઘાસચારાની સમસ્યાને લઇને માલધારી સમાજ દ્વારા સ્થાનિક તંત્ર અને સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે.
તેમ છતાં કોઇ ચોક્કસ પરિણામ પ્રાપ્ત થયું હતું. ત્યારે ભાવનગરના માલધારીઓએ રેલી કાઢી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને આગામી સમય જો પાણી અને ઘાસચારાની સમસ્યા હલ નહી થાય તો ઉગ્ર આદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં ઘાસચારાનો પ્રશ્ન છેલ્લા કેટલાય સમયગાળાથી સતાવી રહ્યો છે જેને લઇને તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જો કે, સ્થાનિક તંત્ર દ્વારા કોઇ ચોક્કસ પગલા નહીં લેવામાં આવતા માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો અને આજરોજ એક રેલી યોજીને સ્થાનિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતુ.
આ સાથે જ માલધારીઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં પાણી અને ઘાસચારાનો પ્રશ્ન હલ નહી થાય તો હજારોની સંખ્યામાં કલેકટર કચેરીએ માલધારીઓ બેસીને ધરણા કરશે.