દિલ્હી પોલીસના સૂત્રોનું માનીએ તો આફતાબ એ ટેસ્ટમાં પણ સતત ખોટું બોલી રહ્યો છે અને હવે એવું લાગી રહ્યું છે કે આ કેસ હવે ફિલ્મી વાર્તાની જેમ આગળ વધી રહ્યો છે.
આફતાબ પોલીગ્રાફ ટેસ્ટમાં પણ સતત ખોટું બોલી રહ્યો છે
પોલીસને આવા જવાબ આપી રહ્યો છે આફતાબ
હા મેં દ્રશ્યમ જોઈ છે અને હવે દ્રશ્યમ-2 પણ આવી ગઈ છે - આફતાબ
શ્રદ્ધા વોકરની હત્યાના રહસ્યનું દરરોજ વધુને વધુ ગૂંચવાતું જાય છે. એવામાં પોલીસ આરોપી આફતાબને સત્ય બહાર લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. એવામાં આ કેસમાં પોલીગ્રાફ ટેસ્ટની કવાયત પણ કરવામાં આવી રહી છે પણ આરોપી આફતાબ ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોનું માનીએ તો આફતાબ એ ટેસ્ટમાં પણ સતત ખોટું બોલી રહ્યો છે અને હવે એવું લાગી રહ્યું છે કે આ કેસ હવે ફિલ્મી વાર્તાની જેમ આગળ વધી રહ્યો છે.
થોડા સમય પહેલા એક ફિલ્મ આવી હતી દૃશ્યમ. એ ફિલ્મમાં પણ હત્યા કરીને આરોપી સારી રીતે પોલીસની નજરથી બચી જાય છે. બધું સામે હોવા છતાં કોઈ કશું કરી શકતું નહતું અને એ જ તર્જ પર હવે શ્રધ્ધા મર્ડર કેસ ચાલતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ મામલાએ પોલીસને પણ મુંઝવી દીધી છે.
Shradha murder case | Delhi: Polygraph test of Aftaab is underway. He's being questioned by a special team & procedure is underway. The test may be concluded today but it can be extended to tomorrow as well: Sanjeev Gupta, FSL Assistant director pic.twitter.com/FvTnFL5qKf
પોલીસને આવા જવાબ આપી રહ્યો છે આફતાબ
પોલિગ્રાફી ટેસ્ટમાં પણ આફતાબ પોલીસને ગૂંચવી રહ્યો છે અને હિન્દીમાં પૂછાયેલા કેટલાક પ્રશ્નોના જવાબ અંગ્રેજીમાં આપ્યા છે સાથે જ મોટાભાગના પ્રશ્નોના જવાબ એક-બે લીટીમાં આપ્યા છે. ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા સવાલો પર તે બસ હસતો રહ્યો હતો. એ સમયે આફતાબને પૂછવામાં આવ્યું- શું તમે દ્રશ્યમ ફિલ્મ જોઈ છે અને શું એ જોઈને તેને આવું કાવતરું ઘડ્યું હતું? તો તેનો જવાબ આફતાબે કહ્યું હતું કે હા મેં દ્રશ્યમ જોઈ છે અને હવે દ્રશ્યમ-2 પણ આવી ગઈ છે. બાકીના ઘણા સવાલોના જવાબમાં તેણે સરળ રીતે કહ્યું કે તેને કશું યાદ નથી.
આફતાબ સતત ખોટું બોલી રહ્યો છે
આફતાબને વારંવાર એક પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો હતો કે તેને ગુસ્સામાં શ્રદ્ધાને મારી નાખી છે કે પછી સમજી વિચારીને તેનું આયોજન કર્યું છે? અને દિલ્હી પોલીસના સૂત્રોનું માનીએ તો આફતાબ આ સવાલ પર સતત ખોટું બોલી રહ્યો છે અને અહીંથી પોલીસને લગભગ ખાતરી થઈ ગઈ છે કે આફતાબે શ્રદ્ધાની હત્યા અચાનક નહતી કરી પણ લાંબા સમયથી શ્રદ્ધાની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો.
પોલીસે રિમાન્ડ લેટરમાં શું લખ્યું?
કોર્ટની સામે પોલીસે તેના રિમાન્ડ લેટરમાં લખ્યું હતું કે પોલીસને આફતાબ પાસેથી એક ચિઠ્ઠી મળી છે જે ચિઠ્ઠીમાં તે શ્રધ્ધાણઆ મૃતદેહના ટુકડાઓનો તમામ હિસાબ રાખતો હતો. એ ચિઠ્ઠીમાં મૃતદેહનો કયો ભાગ તેને ક્યાં રાખ્યો તે ચિઠ્ઠીમાં લખતો હતો.
પોલીગ્રાફ ટેસ્ટમાં આફતાબને શું પૂછવામાં આવ્યું હતું?
પોલીગ્રાફીનો પહેલો ભાગ ગુરુવારે પૂરો થયો હતો અને આફતાબને કેસ સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા હતા.
- શ્રદ્ધાની હત્યા શા માટે કરી?
- શ્રદ્ધાને કયા હથિયારથી મારી?
-શરીરના ટુકડા કેવી રીતે કર્યા?
- શ્રદ્ધાના ટુકડા કરતાં સમયે જરા પણ દયા ન આવી?
- શ્રદ્ધાના શરીરના ટુકડા ક્યાં ફેંક્યા?
- શ્રધ્ધાને માર્યા પછી શું કર્યું?
- મર્ડર કર્યું તેનું હથિયાર ક્યાં છે?
- હત્યાના પ્લાનિંગ હેઠળ શ્રદ્ધાને દિલ્હીમાં લાવવામાં આવી હતી?
- શ્રધ્ધાની હત્યાનો અફસોસ છે?