ઈન્ડોનેશિયામાં આવેલા ભયાનક ભૂકંપમાં અત્યાર સુધી 162થી વધુ લોકોના મોત થયા છે તથા 700થી વધારે ઘાયલ થયા છે.
ઈન્ડોનેશિયામાં આવ્યો ભયાનક ભૂકંપ
જાવા આઈસલેન્ડમાં અત્યાર સુધી 162 લોકોના મોત
700 લોકો ઘાયલ
ભૂકંપનો વીડિયો વાયરલ
ટાપુના દેશ તરીકે જાણીતા ઈન્ડોનેશિયાને ભયાનક ભૂકંપે ધમરોળી નાખ્યું છે. સોમવારે સવારે રાજધાની જાકાર્તા, જાવા આઈસલેન્ડમાં આવેલા 5.4 તીવ્રતાના ભૂકંપને કારણે ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. ભૂકંપમાં અત્યાર સુધી 162 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 700થી વધુ લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રીએક્ટર સ્કેલ પર 5.4 તીવ્રતાના ભૂકંપના કારણે જાવા દ્વીપમાં ઘણો વિનાશ થયો છે. લોકોએ ખૂબ જ તીવ્ર આંચકા અનુભવ્યા હતા. મોટી ઇમારતો ધ્રુજવા લાગી અને લોકો પોતાનો જીવ બચાવવા માટે ખાલી જગ્યાઓ પર દોડી ગયા. સૌથી વધારે વિનાશ જાવા ટાપુ પર સર્જાયો છે. અહીં 162થી વધારે લોકોના મોત થયા છે.
Governor says at least 162 people have died and hundreds are injured in earthquake on Indonesia's Java island, reports AP
જાવા આઈસલેન્ડ 162 લોકોના મોત
ગર્વનરનો દાવો છે કે જાવા આઈસલેન્ડ પર ઓછામાં ઓછા 162 લોકોના મોત થયા છે. ભૂકંપનો વીડિયો આવ્યો સામે
ભૂકંપનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં લોકો ચીસો પાડતા જોઇ શકાય છે. ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. લોકો મદદ માટે આજીજી કરી રહ્યા છે. તેનો 45 સેકન્ડનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તૂટેલા મકાનો જોઇ શકાય છે. પાકા મકાનોને પણ નુકસાન થયું હતું. મહિલાઓ, બાળકો, યુવાનો ચીસો પાડી રહ્યા છે. લોકો રડી રહ્યા છે. નજર સામે જ ઘર ઉખડી જતા જોઈને લોકોના ચોધાર આંસુએ રડી પડ્યાં હતા. કેટલાક લોકો લોહીના ખાબોચિયામાં પણ પડેલા જોવા મળે છે.
જાવા ટાપુ પર મોટાપાયે જાનમાલને નુકશાન
શુક્રવારે ઈન્ડોનેશિયાની ધરતી પણ ધ્રૂજી રહી હતી, ત્યારે રાજધાની જકાર્તામાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. જો કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનની અંદર ખૂબ જ અંદર હોવાથી વધારે નુકસાન થયું ન હતું. આજે જાવા ટાપુમાં આવેલા ભૂકંપથી જાનમાલનું નુકસાન થયું છે.
સેંકડો બિલ્ડિંગ તૂટી પડી
ઇન્ડોનેશિયાના સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ચિયાંજુરમાં ઘણી ઇમારતો અને તેમની છતને નુકસાન થયું છે. લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કે અત્યારે ભૂકંપના વધુ આંચકા અનુભવી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. નોંધનીય છે કે, ભૂતકાળમાં પણ ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજધાની દિલ્હી સહિત યુપી અને ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.