ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને ડેશબોર્ડની શરૂઆત થઈ છે. ડેશબોર્ડની સુવિધા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે કચ્છના લખપતથી લઇને દક્ષિણ ગુજરાતના ઉમરગામ સુધીની સરકારી ગતિવિધીઓ પર નજર રાખવા માટે ડેશબોર્ડ કાર્યરત કરવામાં આવ્યુ છે.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સરકારના 26 વિભાગો અને 33 જિલ્લા કચેરીઓના 1700 માપદંડોની અદ્યતન માહિતી સાથેનુ સીએમ બોર્ડ કાર્યરત કરવામાં આવ્યું છે.
મહત્વનુ છે કે સરકારના 9માં ચિંતન શિબિરમાં ડેશબોર્ડ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ વિષય તમામ લોકોને પંસદ આવ્યો હતો. આ ડેશબોર્ડની મદદથી સરકારી ગતિવિધિઓની તમામ વાત પર નજર રાખવામાં આવશે. પબ્લિક ડિલિગની સીધી વાત પર પણ નજર રહેશે.
ડેશબોર્ડથી અલગ અલગ કક્ષાએ ફોલોઅપ લેવામાં આવશે. CMO અધિકારી કક્ષા અને સીઅમ રૂપાણી તમામ કામગીરી પર નજર રાખશે. ઉપરાંત નેશનલ પેરામીટર્સમાં પણ મોનિટરીંગ કરીને ગુજરાત એમાં આગળ રહી સ્પર્ધા કરી શકે તે માટે પણ સજ્જ થઇ શકાશે. મોટા પ્રોજેક્ટના અમલીકરણ ફોલોઅપ અંગે પણ ડેશ બોર્ડ ઉપયોગી બનશે.