પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે બુમરાહની ઇજા પર વાત કરતાં કહ્યું કે તેમની વાપસીમા ઉતાવળ કરવામાં આવી છે. તેમને થોડો સમય મળવો જોઈતો હતો.
જસપ્રીત બુમરાહ ટી20 વર્લ્ડ કપથી થયા બહાર
તેમની વાપસીને લઈને ઉતાવળ કરવામાં આવી - વસીમ જાફર
વસીમ જાફરે બુમરાહને આરામ આપવા મૂક્યો ભાર
ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપ 2022 બાદ હવે ટી20 વર્લ્ડ કપ 2022માં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં બને. એકવાર ફરી ઇજાને કારણે તેઓ ટીમથી બહાર થઈ ગયા છે. તેમણે હાલમાં જ ઓસ્ટ્રેલીયા સામે રમવામાં આવેલી સીરિઝથી વાપસી કરી હતી. આ વચ્ચે એક પૂર્વ ભારતીય ખેલાડીએ ચોંકાવનાર નિવેદન આપ્યું છે, આ નિવેદન બુમરાહની ઇજાને લઈને છે.
આ દિગ્ગજના નિવેદને મચાવ્યો ખળભળાટ
ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ખેલાડી વસીમ જાફરનું બુમરાહની ઇજા પર માનવું છે કે તેમની વાપસીને લઈને ટીમ ઈન્ડિયાએ ઉતાવળ કરી દીધી. તેમણે કહ્યું કે બની શકે છે કે સ્ટ્રેસ ફ્રેકચર પહેલાથી જ હોય, એટલું વધારે નહીં પણ બની શકે છે કે બે મેચ રમ્યા બાદ પ્રેશરને કારણે એ વધી ગયું હોય. તેમને મેચ રમાડવાને લઈને ઉતાવળ કરવામાં આવી. વસીમ જાફરે ક્યાંકને ક્યાંક ટીમ મેનેજમેન્ટ પર પણ સવાલો ઉઠાવ્યા છે.
બુમરાહને આરામ આપવા મૂક્યો ભાર
વસીમ જાફરે આગળ વાત કરતાં કહ્યું કે મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા સામે તેમને ટીમમા પરત લાવવા કરતાં સારું રહેત કે બુમરાહને થોડો સમય વધારે આપવામાં આવ્યો હોત અને તેઓ ટી20 વર્લ્ડ કપ પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયા હોત. મને નાથી ખ્યાલ કે તેમની ઇજા કેટલી ગંભીર છે, પણ મને લાગે છે કે તેમને વધારે સમય મળવો જોઈતો હતો. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલીયા સામે ત્રણ મેચની ટી20 સીરિઝમાં પહેલી મેચમા બુમરાહ રમ્યા ન હતા, જ્યારે બીજી બંને મેચોમા પ્લેઇંગ 11નો ભાગ હતા.