કાળિયાર શિકાર કેસમાં સલમાન દોષિત સાબિત થયો છે. ગુરુવારે જોધપુર કોર્ટનો ચુકાદો આવ્યા બાદ એમને જેલ મોકલી દેવામાં આવશે. જજે એને પાંચ વર્ષની સજા સંભળાવી. એવામાં સલમાન ખાન અને એ ચુકાદાને લઇને લોકનું મંતવ્ય સામે આવ્યું છે. જ્યોતિષ ભાગ્ય અને સલમાનની કિસ્મતને લઇને ઘણી કયાસ લગાવવામાં આવી રહ્યા છે.
આ બાબતે એક પંડિતે જણાવ્યું કે શનિ ન્યાય અને દંડનો દેવતા
છે. આજના દિવસે ચુકાદો આવવો અને એ દિવસે કાળું પહેરવું સલમાન માટે અશુભ સાબિત થયું. કાળો શર્ટ પહેરવાની જગ્યાએ સલમાને બીજા કોઇ રંગનો શર્ટ પહેર્યો હોત તો શક્ય છે કે ચુકાદો કંઇક અલગ હો.
જણાવી દઇએ કે આજે ગુરુવારે કોર્ટ પરિસરમાં સલમાન કાળા રંગનો શર્ટ જીન્સ અને બ્લેક શૂ માં પહોંચ્યો હતો.
ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ સેનાપતિ ગ્રહ છ જ્યારે શનિ પાપક ગ્રહ છે. બંને ગ્રહો ધન રાશિમાં સાથે આવ્યા હતા. એકબીજાના શત્રુ ગ્રહ હોવાને કારણે આ એકબીજા સાથે અથડાશે જેની અલગ અલગ રાશિઓ પર અસર થશે. મંગળ શનિનો યોગ સારો કહી શકાય નહીં. આ અવસ્થા 18 એપ્રલ સુધી રહેશે.
જ્યોતિષનું માનીએ તો એની અસર પણ સલમાન પર પડી રહી છે.