ભારતે 2022 બર્મિઘમ રાષ્ટ્રમંડળ રમતમાં 18 મેડલ જીત્યા છે. છઠ્ઠા દિવસે ભારત માટે હાઈ જમ્પર તેજસ્વિન શંકરે દિવસનો અંતિમ મેડલ જીત્યો. તેજસ્વિન શંકરે બર્મિઘમમાં ટ્રેક એન્ડ ફીલ્ડમાં ભારતના મેડલનુ ખાતુ ખોલ્યુ. જો કે, તેમની આ સફળતા આટલી સરળ ન હતી.
છઠ્ઠા દિવસે ભારત માટે હાઈ જમ્પર તેજસ્વિન શંકરે અંતિમ મેડલ જીત્યો
બર્મિઘમમાં ટ્રેક એન્ડ ફીલ્ડમાં ભારતના મેડલનુ ખાતુ ખોલ્યું
તેજસ્વિને બ્રોન્ઝ મેડલ જીત્યો
જેના માટે તેજસ્વિને ગળાકાપ સંઘર્ષ કરવો પડ્યો છે. છેેલ્લાં એક મહિનામાં તેમની સાથે જે કઈ પણ થયુ. તેજસ્વિને આ બધુ ભૂલાવીને બસ એક વાત યાદ રાખી કે તેમણે ભારત માટે મેડલ જીતવો છે અને બુધવારે બ્રોન્ઝ મેડલ જીતીને પોતાનુ સપનુ પૂર્ણ કર્યુ. પુરૂષોની હાઈ જમ્પ ફાઈનલમાં 2.22 મીટરના જમ્પની સાથે તેજસ્વિન ત્રીજા સ્થાને રહ્યાં.
ટ્રેક એન્ડ ફીલ્ડમાં ભારત માટે પહેલો મેડલ જીત્યો
10 દિવસ પહેલા તેજસ્વિનને પોતાને આશા નહોતી કે તેેઓ બર્મિઘમ રાષ્ટ્રમંડળ રમતમાં પહોંચશે અને ભારતીયોને ગૌરવ મહેસૂસ કરાવવાની તક આપશે. તેેઓ બર્મિઘમમાં રવાના થવા માટે ભારતીય દળમાં સામેલ થનારા અંતિમ વ્યક્તિ હતા. તેજસ્વિન સૌથી છેલ્લે બર્મિઘમ પહોંચ્યા. પરંતુ તેમણે ટ્રેક એન્ડ ફીલ્ડમાં ભારત માટે પહેલો મેડલ જીત્યો છે.
હાઈકોર્ટના નિર્ણય બાદ તેજસ્વિનને રમતમાં ભાગ લેવાની મંજૂરી મળી
છેલ્લાં એક મહિનાથી તેમની ભાગીદારીને લઇને શંકા હતી. એથલેટિક્સ ફેેડરેશન ઑફ ઈન્ડિયાએ શરૂઆતમાં યુએસએમાં પ્રેક્ટિસ કરી રહેલા તેજસ્વિન શંકરને ભારતીય ટીમમાંથી બહાર કર્યો હતો. કારણકે તેમણે ભારતની રાષ્ટ્રીય આંતરરાજ્ય બેઠકમાં ભાગ લીધો ન હતો. જો કે, યુએસએમાં તેજસ્વિને એેક પ્રત્યોગિતામાં રાષ્ટ્રમંડળ રમતના એએફઆઈના ધોરણોને પાર કર્યા હતા. ત્યારબાદ તેમણે એએફઆઈના નિર્ણયને લઇને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટના કહેવા પર તેજસ્વિનને રાષ્ટ્રમંડળ રમતમાં ભાગ લેવાની મંંજૂરી મળી ગઇ હતી.
અંતમાં તેજસ્વિન શંકરને રાષ્ટ્રમંડળ રમત 2022 માટે ભારતીય સ્ક્વોડમાં ઘાયલ રિલે રનર અરોકિયા રાજીવના રિપ્લેેસમેન્ટ તરીકે સામેલ કર્યા હતા. ત્યારબાદ પણ માર્ગ સરળ ન હતો. કોમનવેલ્થ ગેમ્સના ઓર્ગેનાઈઝર્સે તેજસ્વિનને મોડા ભાગ લેવાની અરજી ફગાવવી દીધી હતી. ત્યારબાદ ભારતીય ઓલિમ્પિક સંઘની વિનંતી પર રાષ્ટ્રમંડળ રમત મહાસંઘે તેજસ્વિન શંકરે આગામી બર્મિઘમ રમતમાં ભાગ લેવાની મંજૂરી આપી.