સૌરાષ્ટ્રના 6 જિલ્લા રાજકોટ,અમરેલી, મોરબી તેમજ જામનગર,બોટાદ,સુરેન્દ્રનગરના ડેમોમાં નર્મદાનું પાણી છોડાયું, સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ 98 ટકા ભરાયો
સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર
સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં નર્મદાનું પાણી છોડાયું
સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડાયું
સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં નર્મદાનું પાણી છોડાયું છે. સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી 6 જિલ્લામાં પાણી છોડાયું છે. રાજકોટ,અમરેલી,મોરબીના ડેમો નર્મદાના પાણીથી ભરાશે.
6 જિલ્લામાં પાણી છોડાયું
સૌરાષ્ટ્રના 6 જિલ્લાના ડેમો નર્મદાના પાણીથી છલોછલ ભરાશે. જામનગર,બોટાદ,સુરેન્દ્રનગર તેમજ ધોળી ધજા ડેમ નર્મદાના પાણીથી 98 ટકા ભરાયા છે. જેને લઈ ઉનાળાની સિઝનનમાં સૌરાષ્ટ્રવાસીઓને પાણીની સમસ્યા સર્જાશે નહી. ઉનાળામાં પાણીની તંગી ન સર્જાય તેને લઈ નર્મદા વિભાગે આગોતરૂ આયોજન શરૂ કર્યું છે.
આ બજેટમાં જળસંપત્તિ વિભાગ માટે 9705 કરોડની જોગવાઈ
નર્મદાના પાણી કચ્છ વિસ્તારમાં વિતરણ માટે 1970 કરોડ
સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી પહોચાડવા 725 કરોડની જોગવાઈ
કસરાથી દાંતિવાડા પાઈપલાઈન યોજના માટે 650 કરોડ
ખારીકટ કેનાલને બોક્ષ સ્ટ્રક્ચરમાં રૂપાંતર માટે 300 કરોડ
ચેકડેમ, તળાવો ઉંડા કરવા 272 કરોડની જોગવાઈ
પાનમ જળાશય ઉદ્વહન પાઈપલાઈનો માટે 195 કરોડ
સાબરમતી નદી ઉપર સિરિઝ ઓફ બેરેજ બાંધવા 150 કરોડ
ગિફ્ટ સિટી નજીક સાબરમતી રીવરફ્રંટ માટે 150 કરોડ
તાપી-કરજણ લીંક પાઈપલાઈન માટે 130 કરોડ
દક્ષિણ ગુજરતમાં નદીઓ ઉપર ચેકડેમ, બેરેજો બનાવવા 103 કરોડ
મેશ્વો, ખારી, પુષ્પાવતી, રૂપેણ નદીઓ પર ચેકડેમ બાંધવા 55 કરોડ
સરદાર સરોવર યોજના માટે 5950 કરોડની જોગવાઈ
કચ્છ શાખા નહેરના બાકી કામો માટે 1082 કરોડની જોગવાઈ
સરદાર સરોવર યોજના
સરદાર સરોવર યોજના દેશની એક અગત્યની આંતરરાજ્ય બહુહેતુક યોજના છે, જે ગુજરાતની જીવાદોરી સમાન છે. આ યોજના પૂર્ણ થતાં હાલમાં અંદાજે 10 હજાર ગામો અને 176 શહેરોને ઘરવપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. નર્મદા યોજના અંતર્ગત રાજ્યમાં કેનાલનું મોટું નેટવર્ક પથરાયેલ છે જેની કુલ લંબાઇ અંદાજે 70 હજાર કિ.મી. છે. નર્મદા યોજનાના કમાન્ડ હેઠળ અંદાજે 18 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયેલ છે, જેથી આ વિસ્તારની કાયાપલટ થયેલ છે. સરદાર સરોવર ડેમ અને કેનાલ પર 1540 મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા વાળા બે જળવિદ્યુત મથકો કાર્યરત છે. આ જળવિદ્યુત મથકો દ્વારા અત્યાર સુધી અંદાજે 6 હજાર કરોડ યુનિટ જેટલું વિક્રમી વીજ ઉત્પાદન થયેલ છે. આમ, ગુજરાતની તમામ વસ્તી તેમજ અર્થતંત્ર માટે નર્મદા યોજના મોટા વરદાનસમી સાબિત થયેલ છે. આ યોજના માટે 5950 કરોડની જોગવાઇ.