કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી અમેઠી સંસદીય ક્ષેત્ર પરથી ભરેલા ઉમેદવારી પત્રને લઈને વાંધો ઉઠ્યો છે. અમેઠી સંસદીય નિર્વાચન ક્ષેત્રની રિટર્નિંગ ઓફિસમાં સ્ક્રુટનીએ કાર્યવાહી શરૂ કરી છે. .રાહુલ ગાંધીના ઉમેદવારીમાં પર વાંધો ઉઠાવ્યો છે. હવે આ મામલે આગામી સ્ક્રુટનીએ 22મી એપ્રિલે યોજાશે.
દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી અમેઠી સંસદીય ક્ષેત્ર પરથી ભરેલા ઉમેદવારી પત્રને લઈને વાંધો ઉઠ્યો છે. અમેઠી સંસદીય નિર્વાચન ક્ષેત્રની રિટર્નિંગ ઓફિસમાં સ્ક્રુટનીએ કાર્યવાહી શરૂ કરી છે. .રાહુલ ગાંધીના ઉમેદવારીમાં પર વાંધો ઉઠાવ્યો છે. હવે આ મામલે આગામી સ્ક્રુટનીએ 22મી એપ્રિલે યોજાશે.
સમગ્ર ઘટનાક્રમ બાદ ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. સાથે જ તેમની શૈક્ષણીક લાયકાત અને નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા અને પુછ્યું હતું કે, શું તેઓ ક્યારેય બ્રિટિશ નાગરિક હતાં? આ વાંધા બાદ રાહુલ ગાંધીના વકીલ રાહુલ કૌશિકે આક્ષેપોના ખંડન માટે સમય માંગ્યો છે.
ત્યારબાદ રિટર્નિંગ ઓફિસરે સ્ક્રુટનીની તારીખ આગળ ધકેલી 22 એપ્રિલ કરી છે. રિટર્નિગ ઓફિસર રામ મનોહર મિશ્રાએ આ સંબંધમાં એક પત્ર લખીને આ બાબતની જાણકારી આપી હતી..રાહુલ ગાંધીના નામ અને તેમની શૈક્ષણીક યોગ્યતા પર ભાજપે સવાલ ઉઠાવ્યો.
આ સાથે જ આરોપ પણ લગાવ્યો છે કે, રાહુલે દરેક ચૂંટણીમાં સર્ટિફિકેટ બદલ્યા છે. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે, દેશ આખો સ્તબ્ધ રહી ગયો જ્યારે અમેઠીમાં રાહુલ ગાંધીના ઉમેદવારી પત્રની પક્રિયા શરૂ કરવામાં આવી અને તેમનું નામ બોલવામાં આવતા કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યા બાદ પણ રાહુલ અને તેમના વકીલ રાહુલ કૌશિક સ્પષ્ટિકરણ આપવા તૈયાર ન હોતા.
રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને આ આશ્ચર્યજનક ઘટના છે. તેમને સવાલ કરવો જોઈએ કે શું તે ક્યારેય બ્રિટિશ નાગરિક હતાં. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ 10 એપ્રિલને બુધવારે અમેઠી બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભરતા પહેલા તેમણે રોડ-શો કર્યો હતો. જેમાં આખો ગાંધી પરિવાર જોડાયો હતો.