દિલ્હીના એરોસિટી વિસ્તારમાં થયેલા ઝઘડાનો વીડિયો વાયરલ થયો જેમાં લોકો બોલીવુડ અભિનેતા અજય દેવગણ જેવા લાગતા એક માણસની મારઝૂડ કરી રહેલા દેખાતા હતા.
દિલ્હીમાં અડધી રાતે બે જૂથો વચ્ચે થયો ઝગડો
લોકોએ અજય દેવગણના હમશકલને માર્ય માર્યો
હમશકલને લોકો અજય દેવગણ સમજી બેઠા
દેવગણના પ્રવક્તાએ વાયરલ વીડિયોને ખોટો ગણાવ્યો
દિલ્હીના એરોસિટી વિસ્તારના એક પબની બહાર અડધી રાતે બે જૂથો વચ્ચે ઝગડો થયો હતો. લોકો અજય દેવગણ જેવા લાગતા એક શખ્સની મુક્કા અને ગડદાપાટૂનો માર મારી રહેલા દેખાતા હતા. કેટલાક યૂઝરે આ ઘટનાનો વીડિયો બનાવીને શેર કર્યો જે જોતજોતામાં વાયરલ થયો અને લોકોએ માની લીધું કે કેટલાક ખેડૂતોએ બોલીવુડ અભિનેતા અજય દેવગણની મારઝૂડ કરી છે.
વાયરલ વીડિયોને ખોટો ગણાવતા અજય દેવગણના પ્રવક્તાએ કહ્યું કે અજય દેવગણ છેલ્લા 1 વર્ષથી દિલ્હીમાં ગયા નથી. તેમણે કહ્યું કે જાન્યુઆરી 2020 માં તાન્હાજી ધ અનસંગ વોરિયર ફિલ્મના પ્રમોશન બાદ દેવગણ દિલ્હીમાં ગયા નથી. તેથી દિલ્હીના કોઈ પબ બહાર થયેલા કથિત ઝગડાની ખબર ખોટી અને આધારહિન છે. તેને સત્ય સાથે કંઈ લેવાદેવા નથી. અજય દેવગણ હાલમાં મુંબઈમાં તેમની ટીમ સાથે ફિલ્મ મેદાન, મેડે અને ગંગુબાઈ કાઠિયાવાડીના શુટિંગમાં વ્યસ્ત છે અને તેઓ છેલ્લા 14 મહિનાતી દિલ્હીમાં ગયા નથી.
શું છે વાયરલ વીડિયોની હકકીત
દિલ્હીના એરોસિટી વિસ્તારના એક પબની બહાર અડધી રાતે અચાનક જ બે જૂથો વચ્ચે થયેલા ઝગડાનો વીડિયો વાયરલ થયો. વીડિયોમાં કેટલાક લોકો અજય દેવગણના હમશકલ જેવા લાગતા એક શખ્સની મારઝૂડ કરી રહ્યાં હતા. લોકોએ તેને મુક્કા માર્યા હતા. મારઝૂડનો ભોગ બનેલો વ્યક્તિ અજય દેવગણ હોવાનું જણાવાયું હતું. જોકે વીડિયોમાં કોઈનો ચહેરો સ્પસ્ટ દેખાતો નહોતો. પરંતુ ખેડૂત આંદોલનને કારણે લોકોએ માની લીધું કે ખેડૂતોએ અજય દેવગણને માર્યો છે.