વર્ષ 2013માં કેદારનાથ (Kedarnath) માં આવેલ કુદરતી સંકટને લઇને પૂરી કેદારનાથ ઘાટી નષ્ટ થઇ ગઇ હતી. અંદાજે 5000 લોકો માર્યા ગયા હતાં. હજારો લોકો સ્થળાંતરિત થયા હતાં. કરોડોની સંપત્તિનું નુકસાન થયુ હતું. ત્યારે તજજ્ઞોએ આ તબાહીનું કારણ ચોમાસાનું જલ્દી આવવું અને ગ્લેશિયરોનું પિગળવું જણાવ્યું હતું.
આ તબાહીને 6 વર્ષ બાદ કેદારનાથની ચોરાબાડી ઝીલ (chorabari lake diu) માં ફરી વાર પાણી ભેગું થઇ રહ્યું છે. આ એ જ ઝીલ છે કે જે 2013માં મહાવિનાશ થવાનું મુખ્ય કારણ બન્યુ હતું. હવે આમાં ફરીથી પાણી એકત્ર થવા લાગ્યું છે. સેટેલાઇટ તસ્વીરોને આધારે ખ્યાલ આવી જાય છે કે 2013ની તબાહી જેવો ખતરો ફરીથી નજીક આવી રહ્યો છે.
વર્ષ 2013માં કેદારનાથ (Kedarnath) માં આવેલ કુદરતી સંકટને લઇને પૂરી કેદારનાથ ઘાટી નષ્ટ થઇ ગઇ હતી. અંદાજે 5000 લોકો માર્યા ગયા હતાં. હજારો લોકો સ્થળાંતરિત થયા હતાં. કરોડોની સંપત્તિનું નુકસાન થયુ હતું. ત્યારે તજજ્ઞોએ આ તબાહીનું કારણ ચોમાસાનું જલ્દી આવવું અને ગ્લેશિયરોનું પિગળવું જણાવ્યું હતું.
આ તબાહીને 6 વર્ષ બાદ કેદારનાથની ચોરાબાડી ઝીલ (chorabari lake diu) માં ફરી વાર પાણી ભેગું થઇ રહ્યું છે. આ એ જ ઝીલ છે કે જે 2013માં મહાવિનાશ થવાનું મુખ્ય કારણ બન્યુ હતું. હવે આમાં ફરીથી પાણી એકત્ર થવા લાગ્યું છે. સેટેલાઇટ તસ્વીરોને આધારે ખ્યાલ આવી જાય છે કે 2013ની તબાહી જેવો ખતરો ફરીથી નજીક આવી રહ્યો છે.
જામ થયેલ ચોરાબાડી ઝીલની કેટલીક નવી તસ્વીરો દેખાઇ આવે છે કે કેદારનાથ ધામથી બે કિલોમીટર ઉપર અનેક જગ્યાઓએ પાણી ભેગું થઇ રહ્યું છે અને પાણી ભેગું થવાને કારણે જગ્યાઓની સંખ્યા પણ વધી રહી છે.
ચોરાબાડી ઝીલની સેટેલાઇટ તસ્વીરો અહીં તમને ઘણું બધું કહી દેશે. આ તસ્વીરો લેંડસેટ 8 અને સેંટીનેલ-2B સેટેલાઇટથી 26 જૂન, 2019નાં રોજ લેવામાં આવેલ છે. આ તસ્વીરો દેખાડે છે કે છેલ્લાં એક મહીનામાં જળ સમૂહોની સંખ્યા બેથી વધીને ચાર થઇ ગઇ છે. ઓફિશીયલ સૂત્રોનું કહેવું એમ છે કે ઉત્તરાખંડ સરકારે આને લગતા ઉપાયો શરૂ કરી દીધાં છે.
(Photo: Sentinel-2B L2A via EO Browser)
જો આપણે 11 જૂનની તસ્વીરોને ઝૂમ-ઇન કરીને જોઇએ તો કેટલાંક જ જળ સમૂહ બનતા દેખાશે, પરંતુ તે સમયે તે વધારે ન હોતા. 11 જૂનની તસ્વીરમાં જે ભાગ ગુલાબી રંગથી ઘેરાયેલ છે, તે ચોરાબાડી ગ્લેશિયર છે. પીળા રંગથી ઘેરાઇને જે લીલા રંગનાં નિશાન દેખાઇ રહ્યાં છે તે ગ્લેશિયરથી બનેલી ઝીલ છે.
(Photo: Sentinel-2B L2A via EO Browser)
તજજ્ઞ લોકો આ નિશાનને જોતા ગંભીરતા દાખવે છે. કેદારનાથ ઘાટી પરિસ્થિતિક રૂપથી સંવેદનશીલ અને નબળી થઇ રહેલ છે. તજજ્ઞોનું કહેવું એમ છે કે ચોરાબાડી જેવાં વિસ્તારોમાં જો જળ સમૂહ નિર્મિત થઇ રહ્યાં છે તો પ્રશાસનને આને લઇને લાપરવાહ ના રહેવું જોઇએ.
(Photo: Sentinel-2B L2A via EO Browser)
પર્યાવરણવિદ અને જેએનયૂમાં પ્રોફેસર એપી ડિમરીનું આ વિષય પર વ્યાપક રિસર્ચ છે. તેઓએ એક ખાનગી ન્યૂઝ ચેનલને જણાવતા કહ્યું કે,"કેદારનાથ ઘાટી ભૂકંપ અને પરિસ્થિતિની દ્રષ્ટિથી ખૂબ સંવેદનશીલ અને નબળું છે. 2013માં ચોમાસું જલ્દી આવવા અને વધુ બરફ પિગળવાને કારણોસર એક ભયાનક પૂર આવી ગયુ હતું. જો આ જ રીતે જળસમૂહ ત્યાં ફરીથી થઇ રહ્યું છે જેથી આ એક ચિંતાનો વિષય છે.
(Photo: Sentinel-2B L2A via EO Browser)
મંદાકિની રીવર બેસિનમાં 14 ઝીલ છે, ચોરાબાડી તેમાંથી એક છે. આ સમુદ્રથી 3,960 મીટરની ઉંચાઇ પર છે. ચોરાબાડી ઝીલ કેદારનાથથી અંદાજે બે કિમી ઉપર છે. 2013માં ચોરાબાડી ઝીલમાં આ જ પ્રકારનાં જળ સમૂઙ બની ગયા હતાં જે કારણોસર ચોરાબાડી ઝીલનાં કિનારાનાં ભાગ નષ્ટ થઇ ગયા હતાં અને કેદારનાથ ધામમાં ભયાનક તબાહી આવી ગઇ. તજજ્ઞોનું કહેવું એમ છે કે જે જળ સમૂહ બની રહ્યાં છે તે કોઇ મહત્વપૂર્ણ ખતરાનો સંકેત નથી આપતું પરંતુ જો આ ક્ષેત્રમાં મૂશળધાર વરસાદ થઇ ગયો તો ફરી વાર પરિણામ ખતરનાક આવી શકે છે.