એમેઝોન પ્રાઇવ વીડિયો પર રિલીઝ થયેલી વૅબ સિરીઝ તાંડવને લઇને વિવાદ, મહાવિવાદમાં ફેરવાઇ ગયો છે. વૅબ સિરીઝના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે પોતાની ભૂલ માનીને માફી માંગી લીધી છે તેમ છતાં કેટલાક નેતાઓનો ગુસ્સો ઓછા થઇ રહ્યો નથી.
તાંડવે સર્જયો મહાતાંડવ
સૈફ અલી ખાનના ઘરની બહાર સુરક્ષા વધી
ફક્ત માફીથી નહી ચાલે કામઃ BJP
ભાજપ મહારાષ્ટ્રે ચેતવણી આપી છે કે તે 3 દિવસમાં વેબ સિરીઝ બનાવનાર કંપની સામે ફરિયાદ દાખલ કરાવે, જો આવું ન થયુ તો તાંડવ વિરુદ્ધ પ્રદર્શન ચાલુ રહેશે.
રામ કદમે આપ્યુ નિવેદન
બીજેપીના નેતા રામ કદમે કહ્યું ક, છેલ્લા 5 કલાકથી એમેઝોન સાથે અમારી વાતચીત ચાલી રહી છે અને નિર્ણય આવ્યો છે કે તેમણે માફી માંગી છે. અમને એવું લાગી રહ્યું છે કે માફી પર્યાપ્ત નથીસ જ્યાં સુઝી અમે દરેકને જેલ નહી મોકલી દઇએ વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે.
ઠાકરે સરકારને ભાવનાઓની કદર નથી
બીજેપીના નેતાએ ઠાકરે સરકાર પર નિશાન સાધ્યુ અને કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ તરત જ એક્શન લેવાની જરૂર છે. શિવસેના હિન્દુત્વનો મુદ્દો ભૂલી ગઇ છે. તે હિન્દુઓની ભાવનાનું સન્માન નથી કરતું. જો રાજ્ય સરકાર ફરિયાદ દાખલ નહી કરાવે તો અમે વિરોધ પ્રદર્શન વધારીશું.
ઉત્તર પ્રદેશમાં ફરિયાદ નોંધાઇ
અલી અબ્બાસ ઝફરની નવી વેબ સિરીઝ તાંડવને લઇને સમગ્ર દેશમાં વિરોધ વંટોળ ઉભો થયો છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, ઝીશાન અયુબ અને તિગ્માંશુ ધુલિયા જેવા દિગ્ગજ કલાકારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
આ સેક્શનના અંતર્ગત નોંધાઈ ફરિયાદ
લખનૌના હજ઼રતગંજ પોલીસ મથકમાં આ સિરીઝ અને તેના કલાકારોની સામે આઇપીસીના સેક્શન 153-એ , 295, 501(1)બી, 505(2), 469 અને આઇટી એક્ટના 66, 66એફ અને 67 અંતર્ગત આ ફરિયાદ નોંધવામાં આવી છે, જો કે મહત્વનું છે કે આ સિરીઝના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર દ્વારા આ મામલે માફી માંગવામાં આવી છે.
રેગ્યુલેશન કોડની માંગણી તેજ
સરકારે પહેલા જ પહોંતાનો પક્ષ સાફ કરતા સ્પષ્ટ કરી દીધું હતું કે ઓટીટી પ્લેટફોર્મ પર જે કન્ટેન્ટ બતાવાઈ રહ્યું છે તેને લઈને કોઈ સેલ્ફ રેગ્યુલેશન કોડ બનાવવામાં આવે, જો આ રીતનો કોઈ સેલ્ફ રેગ્યુલેશન કોડ નથી બનાવી શકાતો તો પછી સરકાર પોતે આ મામલે હસ્તક્ષેપ કરીને રેગ્યુલેશન કોડ બનાવી શકે છે. મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે આજની બેઠકમાં એક વાત પર સહમતિ સાધવામાં આવી હતી કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની સાથે જ તેની જવાબદારીઓ પણ નક્કી થવી જોઈએ, ક્રિએટિવ ફ્રીડમના નામ પર કાયદો અને વ્યવસ્થાને બગાડવાની મંજૂરી ન આપી શકાય.
સરકારનું માનવું છે કે હાલમાં કોરોના મહામારીને કારણે ઘણી ખરી ફિલ્મો થિએટરોમાં રિલિઝ નથી થઈ શકી જેના લીધે તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે, જો તે ટીવી કે થીએટરમાં રિલીઝ થતી હોત તો તેના પર કેબલ ટીવી રેગ્યુલેશન એક્ટ અથવા સીબીએફસીની કન્ટેન્ટ ગાઇડલાઇનનું પાલન થાત, પરંતુ થીએટર અને ઓટીટી માટે અલગ સ્ટાન્ડર્ડ ન બની શકે.