ઑસ્ટ્રેલિયાના પૂર્વ વાઇસકેપ્ટન અને બૉલર ડેવિડ વૉર્નરે શનિવારના બૉલ ટેમ્પરિંગના વિવાદ પર ફેન્સથી માફી માંગી. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન વૉર્નરે કહ્યુ કે ''તેને નથી લાગતું હવે તે 1 વર્ષનો પ્રતિબંધ હટ્યા પછી આંતરરાષ્ટ્રીય સ્તર પર કદી ઓસ્ટ્રેલિયા માટે રમી શકશે.'' તમને જણાવી દઇએ કે ઑસ્ટ્રેલિયાના ત્રણ પ્લેયર્સ કેપ્ટન સ્ટીવ સ્મિથ વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર અને બૉલર કેમરન બેનફ્રોક્ટ પર કેપ્ટાઉન ટેસ્ટમાં યોજનાબદ્ઘ રીતે બૉલ ટેમ્પરિંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ત્રણેયને દોષી મેળવીને સ્મિથ અને વૉર્નર પર 1-1 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો જ્યારે બેનફ્રોક્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે.
બોલ ટેમ્પરિંગમાં મારી ભૂમિકા માટે શરમ આવે છે: વોર્નર
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં વૉર્નરે કહ્યુ કે '' હવે મને ખૂબ ઓછી આશા છે કે મને ફરી દેશ માટે રમવાનો મોકો મળશે .હું એ વાત માની ચૂક્યો છું કે હવે કદાચ આ ફરી નહીં થાય.આગામી દિવસોમાં હું જાણવાનો પ્રયત્ન કરીશ કે આ બધુ કેવી રીતે થઈ ગયું અને હું કોણ છું? આ દરમિયાન હું મારી જાતને બદલવા માટે એક્સપર્ટની સલાહ પણ લેતો રહીશ.''
કોન્ફરન્સ દરમિયાન વોર્નરે ભાવુક થતા કહ્યું ''બોલ ટેમ્પરિંગ જેવી ઘટનામાં સામેલ થઈને મે દેશને નીચાજોણું કરાવ્યું છે. આ મારો ખૂબ ખોટો નિર્ણય હતો.પોતાના મિત્રો અને પરિવારને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં રમતા જોઈને આજે અહીં બેસવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. હું ઈચ્છતો હતો કે હું એ ટીમનો હિસ્સો બનું.''
વોર્નરને પૂછવામાં આવ્યું કે ''તેમણે આ મામલે બેનક્રોફ્ટનો ઉપયોગ કર્યો છે?'' તે વિશે વોર્નરે જવાબ આપ્યો કે ''તેઓ માત્ર ખોટા કામ માટે જવાબદાર છે. ''કોન્ફરન્સમાં વોર્નર સાથે સાથે તેમની પત્ની કેંડિસ પણ હાજર હતી.
ટેસ્ટ ક્રિકેટ 1877થી રમવામાં આવી રહી છે. છેલ્લા 141 વર્ષમાં આવું પહેલીવાર થયું છે કે જેમાં બૉલ ટેમ્પરિંગ કરવા માટે બે ખેલાડીઓના રમવા પર 1-1 વર્ષનો પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ પહેલાં 9 ખેલાડીઓ પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમાં ત્રણ ખેલાડીઓ પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો.
સચિન તેંડુલકર પર 2001માં બૉલ ટેમ્પરિંગ મામલે એક મેચ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જેણે છેલ્લે હટાવી દેવામાં આવ્યો હતો અને2010માં શાહિદી અફરિદી પર પણ બે મેચમાં પ્રતિબંધનો આરોપ લગાવવામાં આવ્યો હતો.