આક્રોશની આંધી 48 કલાક બાદ આજે પણ દેશવાસીઓના ચહેરા પર જોવા મળી રહી છે. 'જવાબ દો-જવાબ દો'ના નારા આજે પણ દેશવાસીઓના મોઢે થી સામે આવી રહ્યા છે. ભારત સહિત વિશ્વ આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું કહી રહ્યું છે. તો પાકિસ્તાન આ ઘટના વચ્ચે હાથ ખંખેરી રહ્યું છે.
સાચી હકિકત શું છે?
જમ્મુ કાશમીરના પુલાવામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાન આ હુમલામાં તેમનો કોઈ હાથ ન હોવાનું રટણ આજે પણ કરી રહ્યું છે. ત્યારે એક ચોંકાવનારો વીડિયો હવે પાકિસ્તાનથી જ સામે આવ્યો છે. 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની એક ચેનલમાં થયેલા ખુલાસામાં એ વાત છતી થાય છે કે પાકિસ્તાનના રિટાયર્ડ જનરલ અમઝદ સોહેબે ભારતમાં મોટો હુમલો થવાની પહેલાથી જ ચેતવણી ચાલુ ડિબેટ દરમિયાન આપી દીધી હતી.
જમ્મુ કાશ્મીરમાં જે ઘટના બની તેના પાછળ પાકિસ્તાનના પૂર્વ રિટાયર્ડ જનરલ અમઝદ સોએબે પ્રતિક્રિયા આપી હતી. હવે આ પ્રતિક્રિયા બાદ એ પણ જાણો કે પાકિસ્તાનના ન્યુઝ એન્કર અને સોશિયલ એક્ટિવિસ્ટ આ બાબતે નિવેદન આપ્યું હતું.
રિટાયર્ડ જનરલે અગાઉ જે આગાજ કર્યું હતું તેની પ્રતિક્રિયા પાકિસ્તાન ન્યૂઝ ચેનલના એન્કરે આપી. પાકિસ્તાન આર્મી કેવી રીતે નાના નાના કસ્બામાંથી નાગરીકોને ઉઠાવીને કઈ રીતે જેહાદી સંગઠનોમાં મોકલે છે. તેમને આતંકી પ્રવૃતીઓ કરવવા મજબુર કરે છે.
પાકિસ્તાન જો એમ કહેતું હોય કે પુલવામાં થયેલા હુમલા પાછળ અમારો કોઈ હાથ નથી. તો પાકિસ્તાનની જ ટીવી શોમાં થયેલા ઈન્ટરવ્યુને પહેલા ખોટો સાબીત કરીને બતાવે અને પછી ભારતના આરોપોને ખારીજ કરવાની વાત કરે.