ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યં કે પાટીદાર સમાજ ઘણો મોટો સમાજ છે દરેક પક્ષમાં પાટીદાર સમાજના લોકો છે ત્યારે હવે પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેમ મળે તેની ચર્ચા થશે.
ખોડલધામમાં પાટીદાર સમાજની મહત્વની બેઠક
ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું આપ્યું નિવેદન
આગામી ચૂંટણીમાં AAPને ફાયદો થશેઃ નરેશ પટેલ
વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આવી રહ્યો છે. વર્ષો બાદ લેઉવા અને કડવા પાટીદાર સમાજ એક મંચ પર બેઠક જોવા મળ્યા મળી રહ્યા છે. ત્યારે આજે ખોડલધામ - કાગવડ ખાતે લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી રહી છે જેમાં પાટીદાર અગ્રણીઓની આ બેઠકને લઈને નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું હતું.
ખોડલધામમાં પાટીદાર સમાજની મહત્વની બેઠક
ખોડલધામમાં લેઉવા-કડવા પાટીદાર સમાજની બેઠકને લઈને ખોડલધમના ચેમમેન નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે આગામી ચૂંટણીમાં આપને ફાયદો થશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આમ આદમી પાર્ટી જે રીતે કામ કરે છે, તેને જોઈને ગુજરાતમાં તેને સ્થાન મળી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોય.
પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેમ મળે
મહત્વનું છે કે બેઠકમાં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ - અમદાવાદ, ઊંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ - સુરત સહિતની રાજ્યની કડવા પાટીદાર સમાજની 7 સંસ્થાઓના ટ્રસ્ટીઓ હાજરી આપી રહ્યા છે. નરેશ પટેલે ઉંઝામાં પાટીદાર અગ્રણીઓને ખોડધામ આવવા આમંત્રણ આપ્યું હતું. નરેશ પટેલે કહ્યં કે પાટીદાર સમાજ ઘણો મોટો સમાજ છે દરેક પક્ષમાં પાટીદાર સમાજના લોકો છે ત્યારે હવે પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેમ મળે તેની ચર્ચા થશે.
ગુજરાતની રાજનીતિમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલ
સૌથી મોટી વર્ચસ્વ ધરાવનારા પાટીદાર સમાજ એક થતા હવે ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફાર થવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો એક મંચ પર આવતા ગુજરાતની રાજનીતિમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે.
બેઠકમાં ઉપસ્થિત રહેનાર આગેવાન
1. નરેશ પટેલ
2. મથુર સવાણી, સુરત
3. લવજી બાદશાહ, સુરત
4. જયરામ પટેલ, સીદસર મંદિર
5. દિલીપ નેતા , ઊંઝા મંદિર
6. વાસુદેવ પટેલ, સોલા ઉમિયા કેમ્પસ
7. રમેશ દૂધવાળા, સોલા ઉમિયા કેમ્પસ
8. આર.પી.પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
9. ગગજી સુતરીયા, સરદાર ધામ
10. દિનેશ કુંભાણી, ખોડલધામ ટ્રસ્ટી